Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જમ્મુ અને કાશ્મીરના યુવાનો માટે ગાંધીનગરમાં કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું ઉદ્ઘાટન કાર્યક્રમની શરુઆત


(જી.એન.એસ) તા. 6

ગાંધીનગર,

જમ્મુ અને કાશ્મીરના ૬ જિલ્લાઓના ૧૩૨ યુવાનો કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત તારીખ ૪મી ફેબ્રુઅરીથી 10મી ફેબ્રુઅરી સુધી ગાંધીનગર જિલ્લાની મુલાકાત માટે ગાંધીનગરમાં ઉપસ્થિત થયા છે. આ કાર્યક્રમનો ઉદ્ઘાટન કાર્યક્રમ ૫ મી ફેબ્રુઆરીની રોજ ગુજરાત વિદ્યાપીઠ ખાતે કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું આયોજન માય ભારત ગાંધીનગર અને નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા ભારત સરકારના ગૃહ મંત્રાલયના સહયોગથી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન કાશ્મીર ઘાટીના બડગામ , બારામુલ્લા, શ્રીનગર, કુપવાડા , પુલવામા અને અનંતનાગના ૧૩૨ યુવાનો ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન યુવાનોને ગુજરાત રાજ્યની કળા, સંસ્કૃતિ , ભાષા , વેશભૂષા અને ખાનપાનની જાનકારી લયી રહ્યા છે. ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે શ્રી હર્ષદ ભાઈ પટેલ વાઇસ ચાંસલરશ્રી ગુજરાત વિદ્યાપીઠ, શ્રી ડી ડી કાપડિયા (આઇએએસ) સચિવશ્રી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, શ્રી દુષ્યંત ભટ્ટ રાજ્ય નિર્દેશક નેહરુ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાત, શ્રી રજનીકાંત સુથાર લોકપાલ નરેગા, શ્રીમતી અંજલિબેન પટેલ એનએસએસ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા, શ્રી જીગર શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા યુવા અધિકારી ભુજ, અહમદાબાદ, ભાવનગર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન શ્રી કુંતલ નિમાવત અને રિદ્ધિ દ્વારા જિલ્લા યુવા અધિકારીશ્રી ગાંધીનગરના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું.

संबंधित पोस्ट

આગામી ૧૦૦ કલાકમાં રાજ્યભરના અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયનો આદેશ

Gujarat Desk

અમદાવાદ બ્લાસ્ટ કેસ: કોર્ટે 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદની સજા ફટકારી

Karnavati 24 News

CIFRI Kolkata में 1 पद पर निकली भर्ती। अधिक जानकारी के लिए नीचे क्लिक करें।

Karnavati 24 News

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહેરામપુરા, દાણીલિમડાના વિવિધ વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગિરી

Karnavati 24 News

આરટીઈ એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને પુસ્તકો અને ગણવેશ સહાય આપનારું ગુજરાત દેશનું સૌ પ્રથમ રાજ્ય: શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેર ડિંડોર

Gujarat Desk

રાજ્યમાં માતા અને બાળમૃત્યુદર ઘટાડવા સરકારે સધન પ્રયાસો હાથ ધર્યા છે :- આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk
Translate »