Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

સિવિલ જજની ભરતીમાં ઉર્દુ ભાષીઓને પણ કરો શામેલ : અસદુદ્દીન ઓવૈસી

ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન ચીફ અસદુદ્દીન ઓવૈસીએ તેલંગાણાના કાનૂન મંત્રીને પત્ર લખીને ન્યાયપાલિકાથી જોડાયેલી ભરતીમાં ઉર્દુ ભાષીઓને પણ શામેલ કરવાની માંગ કરી છે. ઓવૈસીએ કહ્યું કે તેલંગાણા ઉર્દુ ભાષાનું જન્મ સ્થાન છે. ઉર્દુ રાજ્યની આધિકારિક ભાષા પણ છે.

ઓવૈસીએ રાજ્યના કાનૂન મંત્રી બી જનાર્દન રેડ્ડીને લખેલા પત્રમાં કહ્યું હતું કે રાજ્યમાં 2021 અને 2022 માટે સિવિલ જજના 50 પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. નોટિફિકેશનમાં એપ્લાઇ કરવાવાળા વ્યક્તિ માટે તેલુગુ ભાષા ફાજિયાત રાખવામાં આવી છે. આ સાથે જ 100 માર્કના અંગ્રેજી પેપરમાં તેલુગુથી અંગ્રેજી ભાષાંતરની પણ વાત કરવામાં આવી છે.

નિયમો મુજબ 2017થી ઉર્દુને તેલંગાણામાં અધિકારીક ભાષાનો દરજ્જો મળેલો છે. આ સાથે જ ઉર્દુ રાજ્યની બીજી ઓફિશિયલ ભાષા પણ છે. જેથી રાજ્યના દરેક સરકારી કર્યો માટે તેલુગુની સાથે સાથે ઉર્દુ ભાષાનો પણ ઉપયોગ કરવો જોઈએ તેમ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું.

AIMIMના વડાએ આગળ લખ્યું કે 2018 પહેલા રાજ્યની તમામ શાળાઓમાં તેલુગુ ભાષા ફરજિયાત ન હતી. પહેલા આવું નહોતું. તેથી તેવી અપેક્ષા રાખવી નકામી છેકે અરજી કરવા ઇચ્છુક તમામ ઉમેદવારો તેલુગુજાણકાર હોય.તેલંગાણાનો ઇતિહાસ ઘણી સમૃદ્ધ ભાષાઓથી ભરપૂર છે. 1966થી સંયુક્ત આંધ્ર પ્રદેશમાં તેલંગાણા પ્રદેશની સત્તાવાર ભાષા ઉર્દૂ છે. નોંધનીય છે કે 2020 સુધી રાજ્યમાં તેલુગુની ફરજિયાત અંગે કોઈ શરત નથી. તેથી સિવિલ જજની ભરતી માટે તેલુગુની સાથે ઉર્દૂનો વિકલ્પ પણ સામેલ કરવો જોઈએ.

संबंधित पोस्ट

નેતાઓના સંતાનોને ભાજપ ટિકિટ નહીં આપેઃ નડ્ડાએ કહ્યું- પિતા પ્રમુખ અને પુત્ર મહાસચિવ, પરિવારવાદની આ નીતિ ભાજપમાં નહીં ચાલે

Karnavati 24 News

આમ આદમી પાર્ટીના નેતા અને સૌરાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રના જાણીતા આગેવાન રાજભા ઝાલા તેમના સમર્થકો સાથે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા.

Admin

જૂનાગઢ મહાનગરપાલિકાનુ ઘર સફાઈ દિવાબતી અને ગાર્બેજ કલેકશન વેરામાં વધારાની દરખાસ્ત સાથેનું બજેટ રજુ

Karnavati 24 News

વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રી એક જ સ્ટેજ પર જોવા મળ્યા, રક્ષા શક્તિ યુનવર્સિટીમાં વિદ્યાર્થીઓ પહેલીવાર પદવી લેશે

Karnavati 24 News

કોંગ્રેસની સભામાં આખલો ઘુસી જવાની ઘટના બાદ આજે ચીફ ઓફિસરે તપાસના આદેશ આપ્યા

Admin

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આખરે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી દીધી

Karnavati 24 News