Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

દિવાળી ટાણે જ હોળી : GSRTCની એપ્લિકેશન ઠપ, ઓનલાઇન બુકીંગ અટક્યું

ગુજરાત સરકાર ડબલ એન્જીનની સરકાર તેમજ ડિજિટલ સરકારના મોટા મોટા સૂત્રો વચ્ચે આજે ગુજરાત રાજ્યની બસો માટેની GSRTC એપ્લિકેશન ઠપ થઇ ગઈ છે અને બુકીંગ થઇ શકતું નથી. ગુજરાતમાં દિવાળીનો માહોલ છે ત્યારે જ આવી રીતે એપ્લિકેશન ઠપ થવાથી હજારો મુસાફરોને ના છૂટકે ખાનગી વાહનનો સહારો લેવો પડી રહ્યો છે. ખાનગી વાહનોમાં દિવાળીના તહેવારોને લઈને ભાડું પણ ડબલ કરી દીધું છે ત્યારે ગુજરાત સરકારની બસોમાં બુકીંગ ન થતા ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે.

ગઈકાલ રાતથી જ GSRTCની આ એપ્લિકેશન ઠપ થઇ ગઈ છે અને કોઈપણ રૂટની બસોનુ બુકીંગ થઇ શકતું નથી. તહેવારો ટાણે જ આવી રીતે GSRTCની એપ્લિકેશન ઠપ થઇ જાય અને ઉપરથી બસો પણ હાઉસફુલ છે તેવામાં મુસાફરો માટે દિવાળીમાં પોતાના વતન તરફ જવા માટે ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત રાજ્યની નિગમનના  ટોલ ફ્રી નંબર પર કોલ લાગતો નથી અને અમદવાદ તેમજ અન્ય વિભાગના નંબર પર ફોન કોઈ રિસીવ કરતુ નથી. ગુજરાત સરકાર દ્વારા મુસાફરોની સગવડતા પ્રમાણે બસો દોડાવવામાં આવે છે જયારે આવી રીતે ઓનલાઇન બુકીંગની એપ્લિકેશન જ બંધ થઇ જાય તે કેટલું વ્યાજબી છે. ગુજરાત સરકાર પરિવહન માટે ના મોટા દાવા કરી રહી છે જો કે આ  દાવા આજે પોકળ સાબિત થયા છે.

એક તરફ ગુજરાતમાં દિવાળીનું ખુબ જ મહત્વ હોય છે ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા તરફથી સૌરાષ્ટ્ર તરફ જવા માટે ઘસારો રહેતો હોય છે તેવામાં મુસાફરો STની બસોમાં બુકીંગ કરાવતા હોય છે જો કે ગઈકાલથી જ GSRTCની એપ્લિકેશન પર બુકીંગ ઠપ થઇ ગયું હતું અને આજે સવારે પણ ચાલુ થયું ન હતું. ગુજરાત ST તહેવારોમાં સમય કરતા બે થી ત્રણ કલાક બસો મોડી હોય છે ત્યારે મુસાફરો રઝળી પડે છે જયારે હવે બે દિવસથી GSRTCની એપ્લિકેશન બંધ છે તેવામાં ફરી એક વખત મુસાફરો માટે હેરાનગતિ થઇ પડી છે.

संबंधित पोस्ट

जी-20 की भारत के सभी प्रदेशों में 200 मीटिंग्स होंगी: प्रदेश नीति के साथ प्रदेश नीति बढ़ाना मुख्य उद्देश्य

Admin

 સુરતના ગોદાવાડી ગામે પ્રગતિશીલ યુવા ખેડૂતોએ અપનાવી મલ્ટીલેયર ફાર્મિંગ પદ્ધતિ, બે એકર જમીનમાં 10 પાક ઉગાડી 10 લાખની આવક ઊભી કરી

Karnavati 24 News

ખેડૂતોની માઠી દશા ! માવઠું પડશે તો શાકભાજીને નુકશાન થશે એવી ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે

Karnavati 24 News

વેરાવળના પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા આદ્રી ગામના યુવા સરપંચનું અવસાન સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી

Karnavati 24 News

તળાજા તાલુકા કક્ષાનો જિલ્લા પંચાયતનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ યોજાશે

Karnavati 24 News

રાણકીવાવ ના પર્યટકો માટે કેન્ટીન,ગેસ્ટ હાઉસ મ્યુઝિયમ સંકુલમાં બનાવવા તૈયારી

Karnavati 24 News