Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ભાવનગરમાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા પહોંચી, બે દિવસ અલગ-અલગ કાર્યક્રમો કરશે

ભારતીય જનતા પાર્ટીની ગુજરાત ગૌરવ યાત્રાએ આજે ભાવનગર જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. શહેરમાં કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં સભા યોજાઈ હતી. સભામાં અર્જુનરામ મેઘવાળે સભામાં રાજસ્થાની ભાષામાં ભજન, કથાના પઠન ચાલુ કર્યા હતા ગુજરાત ગૌરવ યાત્રા ભાવનગર જિલ્લામાં આજે પ્રવેશી હતી. યાત્રાના કાર્યક્રમ મુજબ આજે પ્રથમ દિવસે બપોરે વલ્લભીપુર ખાતે આવી પહોંચી હતી. બપોર બાદ ગારિયાધાર અને સાંજે પાલિતાણા ખાતે સભાઓ યોજાશે. પહેલા દિવસે વલ્લભીપુર ખાતે સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, અર્જુનરામ મેઘવાળ અને ગોરધન ઝડફિયા હાજર રહ્યાં હતાં. ગૌરવ યાત્રા પાલિતાણા ખાતે રાત્રિ રોકાણ બાદ શનિવારે સવારે સિહોર, બપોર બાદ તળાજા અને સાંજે મહુવા ખાતે સભાઓ યોજાશે. બીજા દિવસની સભાઓમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત જોડાશે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન કેન્દ્રીય અગ્રણીઓની અલગ-અલગ સભાઓ ઉપરાંત જે-જે ગામોમાં સ્વાગત સન્માનના કાર્યક્રમો રાખવામાં આવ્યાં છે. તે કેન્દ્રીય નેતાઓ સાથે રાજ્યના સ્થાનિક અગ્રણીઓ ભાજપ સંગઠનના અગ્રણી હોદ્દેદારો જોડાયા છે. મનસુખ માંડવીયાએ લોકોને ભાજપને મત આપવા અપીલ કરી હતી.

संबंधित पोस्ट

ગુજરાત વિધાનસભા ખાતે શપથ લેતા 85 માણાવદર મેંદરડા બેઠકના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી

Admin

‘બીજા પણ ઘણા ધારાસભ્યોની ધરપકડ કરશે’, અમાનતુલ્લાહની ધરપકડ પર કેજરીવાલે સાધ્યું BJP પર નિશાન

આદિત્ય ઠાકરેના જવાબમાં ભાજપ મેદાનમાં ઉતારશે તેજસ્વી સૂર્યાને; મહારાષ્ટ્રમાં જામશે ખરાખરીનો જંગ

Admin

ભુકંપમાંથી બેઠું થયેલું કચ્છ દેશનું ગ્રોથ એેન્જિન છે – વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય

Karnavati 24 News

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના બે સભ્યો ભ્રષ્ટાચાર મુદ્દે રાજીનામાં આપ્યા તેને કોર્પોરેટર પદેથી પણ હટાવવામાં આવે તેવી માંગ .

Karnavati 24 News

કેબિનેટ બેઠકમાં બિલો, બજેટના એલોકેશન, વડાપ્રધાનના પ્રવાસને લઈને થઈ ચર્ચા

Karnavati 24 News