ઓખલાથી ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ ભાજપ પર નિશાન સાધતા તેનો વિરોધ કર્યો છે. આ સાથે જ અરવિંદ કેજરીવાલે પણ આ ધરપકડ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે પહેલા તેઓએ (BJP) સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી. કોર્ટમાં વારંવાર પૂછવા છતાં તેઓ કોઈ પુરાવા રજૂ કરી શકતા નથી. ત્યારબાદ મનીષના ઘરે દરોડા પાડયા, કંઈ મળ્યું ન હતું. હવે અમાનતુલ્લાહની ધરપકડ કરવામાં આવી છે. હજુ પણ ઘણા ધારાસભ્યોની ધરપકડ કરશે. ગુજરાતમાં લાગે છે એમને તકલીફ બહુ પડી રહી છે.
તે જ સમયે, આમ આદમી પાર્ટીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ભાજપ જૂઠાણાના આધારે AAP નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. પહેલા સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી અને કોઈપણ પુરાવા વિના કોઈને પણ સત્યેન્દ્ર જૈનના સંબંધી હોવાનું કહીને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. મનીષ સિસોદિયા સામે પણ પુરાવા વગર કાર્યવાહી કરવામાં આવી હતી. હવે અમાનતુલ્લાહ ખાન સાથે પણ એવું જ થઈ રહ્યું છે.
કેજરીવાલના વધતા કદથી ભાજપમાં ગભરાટ: AAP
AAPના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે અમાનતુલ્લાહ ખાનના ઘર પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, પરંતુ દરોડામાં કંઈ મળ્યું નથી. અન્ય વ્યક્તિ સામે ગેરકાયદેસર હથિયાર રાખવા માટે FIR નોંધવામાં આવી હતી, પરંતુ જેના સામે FIR દાખલ કરવામાં આવી છે, તે વ્યક્તિ સાથે અમાનતુલ્લાહ ખાનને કોઈ સંબંધ નથી. જે હામિદ અલી ખાન અને કૌસર ઈમામ સિદ્દીકી સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, એમની સાથે અમાનતુલ્લાહ ખાનને કોઈ સંબંધ નથી કે ન તો કોઈ બિઝનેસ છે. આમ આદમી પાર્ટીના નેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંય કશું મળી રહ્યું નથી. ગુજરાતમાં અરવિંદ કેજરીવાલના વધી રહેલા કદના કારણે ભાજપ ગભરાટમાં છે અને તેથી જ આ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
એસીબીએ અમાનતુલ્લાહના 5 સ્થળો પર પાડ્યા હતા દરોડા
નોંધનીય છે કે એક દિવસ પહેલા જ એસીબીએ અમાનતુલ્લાહ ખાનના ઘર સહિત પાંચ સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં કહેવાઈ રહ્યું છે કે કેટલીક ડાયરીઓ પણ મળી આવી છે, જેમાં પૈસાની લેવડ-દેવડની વિગતો મળવાની વાત કરવામાં આવી રહી છે. અમાનતુલ્લાહ ખાનને સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે.