Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશરાજકારણ

આમ આદમી પાર્ટીના મહિલા નેતા ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયુ, સુરતમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો

આમ આદમી પાર્ટીના મહિલા નેતા અને કામરેજના નવાગામ-૨ સીટ પરથી ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડનાર ઉમેવાર ભાજપમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના મહિલા નેતા રંજન બેન શિહોરા ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયુ છે. રંજન બેને ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાના હસ્તે ખેસ ધારણ કર્યો હતો. નોંધનિય છે કે, કામરેજ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું મજબૂત સંગઠન છે. આમ વિધાનસભાની ચુંટણી પહેલા આમ આદમી પાર્ટી તૂટવાની શરૂ થતા રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય સંયોજક અરવિંદ કેજરીવાલ ગઈ કાલે જ સુરતમાં હતા અને એવાં સમયે જ રંજન બેને પાર્ટી છોડતા આપને મોટો ઝટકો લાગ્યો છે.

મનોજ સોરઠીયા પર થયેલા હુમલા અંગે નરેશ પટેલે આપ્યું નિવેદન ઘણા લાંબા સમય બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આજે મીડિયા સમક્ષ બોલ્યા હતા. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના કાર્યક્રમમાં નરેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે ખોડલધામ ચેરમેન નરેશ પટેલનું નિવેદન આપ્યું હતું. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ હાજરી આપી હતી. નોંધનિય છે કે, વાર્ષિક સાધારણ સભા સમયે 75 બાળકોને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને ચેક આપવામાં આવ્યા હતા. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીમલ એસોસિએશનના હોદ્દેદારો અને ઉદ્યોગપતિઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. લેહુવા પાટીદાર અને કડવા પાટીદાર સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા. લેઉવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ અને કડવા પાટીદાર સમાજના આગેવાન અને ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

આમ આદમી પાર્ટીના નેતા અને સૌરાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રના જાણીતા આગેવાન રાજભા ઝાલા તેમના સમર્થકો સાથે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા.

Admin

 રાજ્ય કક્ષાના મંત્રી સુશ્રી નિમિષાબેન સુથારે સીંગવડ અને લીમખેડા ખાતે રૂ. ૨૭ કરોડથી વધુના શૈક્ષણિક વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

Karnavati 24 News

ભાજપના ધારાસભ્ય ભરત પટેલનું વિવાદિત નિવેદન , કહ્યું- હું જ્યારે ઇચ્છું ત્યારે રમખાણો કરાવી શકું છું

Karnavati 24 News

શાહબાઝ શરીફ સરકાર માટે મોટી મુશ્કેલી, રાષ્ટ્રપતિએ ફરી એક વખત ખખડાવ્યા

Karnavati 24 News

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ મતદાન કર્યા બાદ આપી આ પ્રતિક્રીયા, કહી આ વાત

Admin

કોંગ્રેસ નેતા અંબરીશ ડેરના હર્ષદ રીબડીયા પર આકરા પ્રહારો, આપી આ પ્રતિક્રીયા

Translate »