Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

સંતરાની છાલમાંથી આ રીતે બનાવો ટેસ્ટી શાક, હેલ્થ માટે છે ખૂબ ગુણકારી

તમે ક્યારે પણ સંતરાની છાલનું શાક ધરે બનાવ્યુ છે? આ શાક ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. ડાયાબિટીસના લોકો માટે આ શાક સૌથી બેસ્ટ છે. આ શાક ખાસ કરીને દક્ષિણ ભારતમાં બહુ ફેમસ છે. દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં આ શાક સૌથી વધારે બને છે. આ શાક તમે પરાઠા સાથે ખાઓ છો તો બહુ મજા આવે છે તો જાણો ઘરે કેવી રીતે બનાવશો આ શાક.

સામગ્રી

5 કાપેલા સંતરાની છાલ

1 મોટી ચમચી આંબલીનો રસ

2 નાના કટકા ગોળ

રસમ પાવડર

મીઠું

તેલ

રાઇ

હળદર

હિંગ

મીઠો લીમડો

  • સંતરાની છાલમાંથી શાક બનાવવા માટે સૌ પ્રથમ સંતરાને ધોઇ લો અને એમાંથી છાલ કાઢી લો.
  • હવે એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા મુકો.
  • તેલ ગરમ થઇ જાય એટલે એમાં રાઇ, હિંગ અને મીઠા લીમડાના પાન નાંખો.
  • ત્યારપછી સંતરાની છાલ નાંખો.
  • આમ, આ બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લો.
  • 3 થી 4 મિનિટ સુધી આ મિશ્રણને ધીમા ગેસે થવા દો.
  • પછી આમાં આંબલીનો રસ મિક્સ કરો.
  • હવે જરૂરમુજબ પાણી નાંખો અને 2 મિનિટ માટે થવા દો.
  • આ બધી પ્રોસેસ થઇ જાય પછી એમાં મીઠું નાંખો.
  • મીઠું નાંખ્યા પછી હળદર અને લાલ મરચુ નાંખો.
  • આ મસાલા કર્યા પછી ગોળ એડ કરો.
  • ગોળ નાંખ્યા પછી આ શાકને ઢાંકીને 10 મિનિટ માટે ધીમા ગેસે થવા દો. ગેસ ફાસ્ટ કરવાનો નથી. જો તમે ગેસ ફાસ્ટ કરશો તો શાક ચડશે નહિં અને સ્વાદ બરાબર નહિં આવે.
  • વચ્ચે વચ્ચે શાકને ચેક કરતા રહો કે એમાં પાણી છે કે નહિં. જો પાણી ના હોય કે ઓછુ હોય તો તમે એમાં થોડુ-થોડુ પાણી એડ કરતા જાવો.
  • 10 મિનિટ રહીને જોઇ લો શાક થઇ ગયુ કે નહિં.
  • શાક થઇ ગયુ હોય તો એક બાઉલમાં લઇ લો.
  • જો તમે ઇચ્છો છો તો આમાં ઉપરથી કોથમીર એડ કરી શકો છો.

 

संबंधित पोस्ट

 જામનગરમાં એટીએમ મશીનમાં કાર્ડ અને પૈસા ભૂલી જનાર મહિલાને શોધીને પ્રામાણિકતા દાખવતો યુવાન

Karnavati 24 News

महापुरुष राजयोग: सिर्फ एक दिन में बदल जाएगा 5 राशियों का भाग्य, छूई हर चीज सोना बन जाएगी।

Admin

નવરાત્રી વ્રતની રેસિપિ: આ નવરાત્રિ કુટ્ટુ ડમ્પલિંગ સ્પાઈસી અરબી કોફતા ટ્રાય કરો, નોંધી લો રેસિપી

Karnavati 24 News

प्राचार्य के 2200 पदों के निकली बंपर वैकेंसी जानिए आवेदन से सैलेरी तक जानकारी

Karnavati 24 News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે School of Ultimate Leadership (SOUL)ના ₹150 કરોડના અંદાજિત ખર્ચે 22 એકર વિસ્તારમાં ગાંધીનગર ખાતે નિર્માણ પામનાર અદ્યતન કેમ્પસનું ભૂમિપૂજન કર્યું હતું

Karnavati 24 News

पंजाब केसरी लाला लाजपत राय जी के जीवन से प्रेरणा लेने की जरूरत – अध्यक्ष कुलतार सिंह संधावन

Admin
Translate »