Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અટલ બ્રિજ જોવા માટે અમદાવાદીઓને ચૂકવવી પડશે એન્ટ્રી ફી – આગામી સમયમાં આટલી ફી ચૂકવવા રહેજો તૈયાર

અટલ બ્રિજનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આ બ્રિજને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડી રહ્યા છે. રવિવારે એટલી મોટી સંખ્યામાં બ્રિજ જોવા માટે લોકો આવ્યા હતા કે, બે વાર એન્ટ્રીમાં અવરોધ પણ થયો હતો. સંખ્યા વધી જતા લોકોને રોકવા પડ્યા હતા. ત્યારે  અટલ બ્રિજ જોવા માટે હવે અમદાવાદીઓને એન્ટ્રી ફી ચૂકવવી પડશે. સૂત્રો પાસેથી મળી રહેલી વિગતો અનુસાર 1 સપ્ટેમ્બરથી આ ફી અમલમાં મુકાશે.

– આ પ્રકારે જુદી જુદી ફી ચૂકવવા રહેજો તૈયાર
અટલ બ્રિજનો નજારો માણવા માટે 12 વર્ષ સુધીના બાળકો માટે 15 રૂપિયા, 12 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 30 રૂ. તેમજ સિનિયર સિટીઝન માટે 15 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત અટલ બ્રિજમાં જો ગાર્ડનની મુલાકાત લેવી હશે તો ટિકિટના 40 રુપિયા આપવાના રહેશે. દિવ્યાંગો માટે ફી રાખવામાં આવી નથી. સિનિયર સિટીઝન માટે ફૂટ ઓવરબ્રિજ અને ફ્લાવર પાર્ક માટે 20 રૂપિયાનો ટિકિટ દર નક્કી કરાયો છે.

– અટલ બ્રિજની આ છે વિશેષતાઓ

1) બ્રીજની કુલ લંબાઈ ૩૦૦ મીટર છે જ્યારે વચ્ચેનો સ્પાન ૧૦૦ મીટર છે.
2) બ્રીજના છેડેના ભાગે પહોળાઈ ૧૦ મીટર તેમજ બ્રીજના વચ્ચેના ભાગે પહોળાઈ ૧૪ મીટર છે.
3) સાબરમતી નદીના લોઅર તથા અપર પ્રોમીનાડ (ફુટપાથ) ઉપરથી બંને બાજુએથી (પશ્ચિમ કાંઠે તથા પૂર્વ બાજુએથી) બ્રીજમાં પ્રવેશ કરી શકાશે.
4) ૨૬૦૦ મે. ટન વજનનું લોખંડ પાઈપનું સ્ટ્રક્ચર તથા રંગબેરંગી ફેબ્રિકની ટેન્સાઈલ સ્ટ્રક્ચરની છત આઈકોનિક બ્રીજની આઇકોનિક ડિઝાઈનની સાબિતી આપે છે.
5) બ્રીજના વચ્ચેના ભાગે વુડન ફ્લોરિંગ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના ભાગે ગ્રેનાઈટ ફ્લોરિંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ બનાવવામાં આવી છે.
6) વચ્ચેના ભાગે ફૂડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાન્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.
7) ડાયનેમિક કલર ચેન્જ થઈ શકે તેવું એલ.ઈ.ડી. લાઈટિંગ બ્રીજને આગવો લૂક પ્રદાન કરે છે.

संबंधित पोस्ट

કચ્છ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૭,૪૨૪ હેક્ટરમાં રૂ. ૩,૬૫૦ લાખના ખર્ચે ૪૨૭.૫૮ લાખ રોપાઓનું વાવેતર કરાયું: વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ

Gujarat Desk

ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ કે.દવેના નેતૃત્વમાં ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી

Gujarat Desk

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના 6 વર્ષ પૂર્ણ: ગુજરાતમાં 66.55 લાખ ખેડૂતોને મળ્યા ₹18,800 કરોડ

Gujarat Desk

ઝાલોદ તાલુકાના સાંપોઈ ગામે ફ્રી કોચિંગ ક્લાસ શરુ કરાયા

Karnavati 24 News

સુરેન્દ્રનગર બ્રહ્મ સમાજ દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆતો કરાઈ

Karnavati 24 News

શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના પ્રાગટ્ય દિવસની ઉજવણી, જ્યોત મિલાપ બાદ શક્તિદ્વાર ખાતે યોજાશે

Gujarat Desk
Translate »