Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

લાઠી – ૯૬, વિધાનસભાની બેઠક માટે જામશે ખરાખરીનો જંગ..!! લડવા માંગતા કાર્યકરોમાં સળવળાટ..

લાઠી – ૯૬, વિધાનસભાની બેઠક માટે જામશે ખરાખરીનો જંગ..!!    લડવા માંગતા કાર્યકરોમાં સળવળાટ..          ગુજરાતમાં પ્રથમ વિધાનસભાની ચૂંટણી ૧૯૬૦ માં યોજાઈ હતી ત્યારે ૧૩૦ ધારાસભ્યોની બેઠક હતી. સમયાંતરે છેલ્લે ૨૦૧૭ માં ચૂંટણી થઈ ત્યારે ૧૮૨ બેઠકો છે.છેલ્લા અઢી દાયકાથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે   હવે ૨૦૨૨ ના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેના ભણકારા સંભળાઈ રહ્યા છે.એક કહેવત છે..સત્તા આગળ શાણપણ નક્કામું..!! શામ – દામ અને દંડ શબ્દો જુના છે પણ કાયમ બોલાતા હોય છે,અને આ નીતિનો ઉપયોગ કરી લેવા વાળા હોય છે…વિકાસ માટે બધું થઈ શકે…!!?

અમરેલી જીલ્લામાં ૫ બેઠકો છે.એક ભા.જ.પ.અને ચાર કોંગ્રેસના ધારાસભ્યો છે.તેમાં સૌથી બળુકા અને પોતાના મત વિસ્તાર ના પ્રશ્નો માટે વિધાનસભા ગજાવતા કોંગ્રેસના લાઠી બેઠકના ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર ને લડાયક નેતા તરીકે ગણવામાં આવે છે.હવે વાત આગામી વિધાનસભાની ચૂંટણીમાં લાઠી – ૯૬,બેઠક માટે કોંગ્રેસ,ભા.જ.પ.,અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પક્ષમાંથી ઉમેદવાર મેદાનમાં આવશે તે લગભગ પાક્કું ગણાય..આમ આદમી પાર્ટી થી કોઈ અજાણ નથી.ત્રણેય પક્ષોના આગેવાનો અને કાર્યકરો એ તૈયારી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે..!! આ બેઠકના ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર નું ઉમેદવારમાં નામ જાહેર થાય એવી પૂરેપૂરી શક્યતા નકારી શકાય નહિ… ભા.જ.પ.માથી કોનું નામ ઉપસી આવે અને આમ આદમી પાર્ટીમાં પ્રદેશમાંથી કોનું નામ જાહેર થાય તેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.એક અનુમાન પ્રમાણે આ બેઠકમાં ત્રી પાંખીયો જંગ જામશે અને કોણ વિજેતા બનશે તે સમીકરણો ઉપરથી નક્કી થશે..!! અને જે વિજેતા બનશે તેના કાર્યકરો આનંદ કરશે.

संबंधित पोस्ट

મણિનગર રેલ્વે સ્ટેશન સામે આવેલ રાજરત્ન આર્કેડ ની બહાર AMC ના દબાણ ખાતાએ કામગીરી હાથ ધરી

Karnavati 24 News

તમારું પણ આ બેન્કમાં ખાતું હોય તો થઇ જાઓ સાવધાન, 22 સપ્ટેમ્બરથી બેન્કને લાગી જશે તાળા, RBIએ લાઇસન્સ રદ્દ કર્યું

Karnavati 24 News

ડબલ ટેક્સ સામે સ્થાનિકોનો વિરોધ:ગાંધીનગર પાલિકાના મિલ્કતની ટ્રાન્સફર ફી લેવાના નિણૅય સામે નાગરિકોનો વિરોધ, સ્ટેમ્પ ડ્યુટીની સાથે મિલ્કત વેરો પણ લેવામાં આવતાં કમિશ્નરને રજૂઆત

Karnavati 24 News

કાઇટ ફાઉન્ડેશનના એવોર્ડ સમારોહમાં વડોદરાના શિક્ષકને ડાયનેમિક ટીચર ઇન ધ ફિલ્ડ ઓફ એકાઉન્ટિંગ કેટેગરીમાં એવોર્ડ મળ્યો

Karnavati 24 News

અમદાવાદ માં કોરોના ના કેસ સતત વધી રહ્યાં છે.

Karnavati 24 News

જ્ઞાનવાપી પર આજે નવા કેસની સુનાવણી: વિશ્વ વૈદિક સનાતન સંઘની માંગ – મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ;

Karnavati 24 News