અમદાવાદમાં અત્યારે સૌથી મોટી સમસ્યા રોડ રસ્તાના તૂટવાને લઈને છે. વિપક્ષ આક્ષેપ લગાવી રહ્યું છે કે, 30 હજાર જેટલા ખાડાઓ અમદાવાદમાં પડી ગયા છે અને આ ખાડાઓના પેચવર્ક થઈ રહ્યા છે જ્યારે 83 જેટલા ભૂવાઓ પડી ગયા છે ત્યારે બીજી સમસ્યા રખડતા ઢોરની છે. ગઈકાલે હાઈકોર્ટે ફટકાર લગાવ્યા બાદ રખડતા ઢોરને લઈને પણ આજે કામગિરી કરાઈ રહી છે. ત્યારે અમદાવાદમાં બિસ્માર રસ્તા અને રખડતા ઢોર મામલે નિંદા થતા અધિકારીઓને એક્શન લેવા આદેશ આપવામાં આવી રહ્યા છે.
રખડતા ઢોરના પશુપાલકો સામે ફરીયાદ નોંધવાનો વ્યાપ વધારવા કમિશ્નર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં રખડતા ઢોર મામલે ઢોર પકડવાની કામગિરીમાં ગતિ લાવવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ઘાસચારો લઈને જતિ ગાડીઓ પર પણ તવાઈ લાવવા માટે આદેશ કરાયો છે કેમ કે, રસ્તા પર જ આ ગાડીઓ ઘાસચારો લઈને ફર્યા બાદટ ચાર રસ્તા ઉભા રહીને પશુઓને ચારો લોકો પુન્ય અર્થે પૈસા આપી ખવડાવતા હોય છે. જેના કારણે પશુઓને છુટોદોર મળી જાય છે.
જેથી આ મામલે કડકાઈ દાખવવા સૂચના આપવામાં આવી છે. આજથી એએમસીએ ઢોર પકડવા આદેશ કર્યો છે. વધુ ઢોર ઢોરવાડામાં મુકવામાં આવી શકે છે માટે બાકરોલ, દાણીલીમડા બાદ અન્ય ત્રણ સ્થળોએ પણ નવા ઢોરવાડા ઉભા કરવા આદેશ કરવામાં આવ્યો છે. બિસ્માર રસ્તા અને રખડતા ઢોરને લઈને અધિકારીઓને આદેશ તો કરાયો છે પરંતુ ઢોર ઉપરાંત તૂટી ગયેલા રોડ રસ્તાના કારણે કોર્પેોરેશનની કામગિરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. જેના કારણે બદનામી પણ કોર્પોરેશનની થઈ રહી છે કેમ કે, આજે વિપક્ષે એક્શનમાં આવી કમિશનર અને મેયરના નામના પોસ્ટરો લગાવ્યા છે.