Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

અમદાવાદમાં બિસ્માર રસ્તા અને રખડતા ઢોર મામલે નિંદા થતા અધિકારીઓને એક્શન લેવા અપાયા આદેશ

અમદાવાદમાં અત્યારે સૌથી મોટી સમસ્યા રોડ રસ્તાના તૂટવાને લઈને છે. વિપક્ષ આક્ષેપ લગાવી રહ્યું છે કે, 30 હજાર જેટલા ખાડાઓ અમદાવાદમાં પડી ગયા છે અને આ ખાડાઓના પેચવર્ક થઈ રહ્યા છે જ્યારે 83 જેટલા ભૂવાઓ પડી ગયા છે ત્યારે બીજી સમસ્યા રખડતા ઢોરની છે. ગઈકાલે હાઈકોર્ટે ફટકાર લગાવ્યા બાદ રખડતા ઢોરને લઈને પણ આજે કામગિરી કરાઈ રહી છે. ત્યારે અમદાવાદમાં બિસ્માર રસ્તા અને રખડતા ઢોર મામલે નિંદા થતા અધિકારીઓને એક્શન લેવા  આદેશ આપવામાં આવી રહ્યા છે.

રખડતા ઢોરના પશુપાલકો સામે ફરીયાદ નોંધવાનો વ્યાપ વધારવા કમિશ્નર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં રખડતા ઢોર મામલે ઢોર પકડવાની કામગિરીમાં ગતિ લાવવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ઘાસચારો લઈને જતિ ગાડીઓ પર પણ તવાઈ લાવવા માટે આદેશ કરાયો છે કેમ કે, રસ્તા પર જ આ ગાડીઓ ઘાસચારો લઈને  ફર્યા બાદટ ચાર રસ્તા ઉભા રહીને પશુઓને ચારો લોકો પુન્ય અર્થે પૈસા આપી ખવડાવતા હોય છે. જેના કારણે પશુઓને છુટોદોર મળી જાય છે.

જેથી આ મામલે કડકાઈ દાખવવા સૂચના આપવામાં આવી છે. આજથી એએમસીએ ઢોર પકડવા આદેશ કર્યો છે. વધુ ઢોર ઢોરવાડામાં મુકવામાં આવી શકે છે માટે બાકરોલ, દાણીલીમડા બાદ અન્ય ત્રણ સ્થળોએ પણ નવા ઢોરવાડા ઉભા કરવા આદેશ કરવામાં આવ્યો છે. બિસ્માર રસ્તા અને રખડતા ઢોરને લઈને અધિકારીઓને આદેશ તો કરાયો છે પરંતુ ઢોર ઉપરાંત તૂટી ગયેલા રોડ રસ્તાના કારણે કોર્પેોરેશનની કામગિરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. જેના કારણે બદનામી પણ કોર્પોરેશનની થઈ રહી છે કેમ કે, આજે વિપક્ષે એક્શનમાં આવી કમિશનર અને મેયરના નામના પોસ્ટરો લગાવ્યા છે.

संबंधित पोस्ट

GOOD NEWS/ બેંક ગ્રાહકો માટે ખુશખબર આવી, SBIએ ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજદર વધાર્યા

Karnavati 24 News

કામની વાત/ શું તમે હાલમાં નોકરી બદલી છે, તો જૂના PF અકાઉન્ટના પૈસા આવી રીતે નવામાં એડ કરો

Karnavati 24 News

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર-2 બિલ્ડિંગમાં 7મા માળેથી લિફ્ટ તૂટી પડતાં 7 કામદારોનાં મોત

Karnavati 24 News

હવામાનમાં પલટો, તડકાના કારણે તાપમાનમાં વધારો : તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો, સવારથી સૂર્યપ્રકાશને કારણે ગરમી અને ભેજનું પ્રમાણ વધ્યું

Karnavati 24 News

UPSC પ્રિલિમ્સ પરિણામ 2022: UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સમાં સફળ ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી, દર્શન કુમાર પટેલ ટોપ પર

Karnavati 24 News

ભારતમાં રોજના ઓમિક્રૉનના આવી શકે છે 14 લાખ કેસ, સરકારની ચેતવણી

Karnavati 24 News
Translate »