Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

GOOD NEWS/ બેંક ગ્રાહકો માટે ખુશખબર આવી, SBIએ ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજદર વધાર્યા

સરકારી ક્ષેત્રની ભારતીય સ્ટેટ બેંકમાં ડિપોઝીટ કરનારા ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. હકીકતમાં જોઈએ તો, SBIએ 2 કરોડ રૂપિયા અને તેનાથી વધારેના ટર્મ ડિપોઝિટ પર વ્યાજ દર વધારી દીધા છે. બેંક દ્વારા વધારવામાં આવેલા આ નવા વ્યાજદર 15 જૂલાઈ 2022થી લાગૂ પડશે.

બેંકના જણાવ્યા અનુસાર 7 દિવસથી 45 દિવસમાં મેચ્યોર થનારી ડિપોઝીટ પર બેંક 3.50 ટકાના દરે વ્યાજ આપવાનું ચાલુ રાખશે, તો વળી 46 દિવસામં 179 દિવસમાં મેચ્યોર થનારી ડિપોઝીટ પર 4 ટકાના વ્યાજદર છે. આ ઉપરાંત 180 દિવસથી 210 દિવસ સુધી મેચ્યોર થનારી ડિપોઝિટ પર એસબીઆઈ 4.25 ટકાના વ્યાજ દર આપવાનું ચાલુ રાખશે.

આવી જ રીતે 211 દિવસથઈ એક વર્ષથી ઓછા સમયમાં મેચ્યોર થનારી ડિપોઝિટ પર વ્યાજ દર 4.50 ટકા પર સ્થિર છે. તો વળી 1 વર્ષથી 2 વર્ષના ઓછા સમયમાં મેચ્યોર થનારી ડિપોઝીટ પર હવે 5.25 ટકા વ્યાજદર મળશે, જે પહેલા 4.75 ટકા વધારો હતો.

બેંક 2 વર્ષથી 3 વર્ષની ઓછા સમયમાં મેચ્યોર થનારી ડિપોઝીટ પર 4.25 ટકા અને 3 વર્ષ તથા 10 વર્ષ સુધી મેચ્યોર થનારી ડિપોઝીટ પર 4.50 ટકાના દરથી વ્યાજ દર ચાલુ રાખશે.

આપને જણાવી દઈએ કે, બેંક ગત વખતે 14 જૂન 2022ના રોજ 2 કરોડથી ઓછી ડિપોઝીટ પર પોતાના વ્યાજ દરોમાં વધારો કર્યો હતો. એસબીઆઈ હવે 7 દિવસથી 10 વર્ષોમાં મેચ્યોર થનારી જમા પર 2.90 ટકાથી 5.50 ટકાના હિસાબે વ્યાજ આપશે.

IDBI બેંકના વ્યાજદર

2 કરોડથી ઓછી ડિપોઝીટ પર આઈડીબીઆઈ બેંકે વ્યાજ દર વધારી દીધું છે. બેંકની વેબસાઈટ જણાવે છે કે, વધેલા વ્યાજ દર 14 જૂલાઈ 2022થી લાગૂ છે. બેંક 7 દિવસથી 30 દિવસમાં મેચ્યોર થનારી જમા પર 2.70 ટકા વ્યાજદર આફશે, જ્યારે આઈડીબીઆઈ બેંક 31 દિવલથી 45 દિવસમાં મેચ્યોર થનારી જમા પર 3.00 ટકાના વ્યાજદર આપશે.

संबंधित पोस्ट

સાબરમતી રેલ્વે સ્ટેશનથી રેલ મંત્રી શ્રી ઓ અથવા રેલ્વે ના ઉચ્ચ અઘિકારી શ્રી ઓ માટે સ્પેશિયલ 2/3 કોચ સાથે એક ટ્રેન અમદાવાદ જંકશન તરફ રવાના થયેલ છે…💐🙏

Karnavati 24 News

હવામાનમાં પલટો, તડકાના કારણે તાપમાનમાં વધારો : તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો, સવારથી સૂર્યપ્રકાશને કારણે ગરમી અને ભેજનું પ્રમાણ વધ્યું

Karnavati 24 News

યુનિફોર્મ સિવિલ કોર્ડ મામલે હાઈકોર્ટે કહ્યું- રાજ્યોમાં સમિતિની રચના થયા તો ખોટું શું છે?

Admin

ભાવનગર મ્યુનિસિપાલિટી સ્કૂલોમાં 3 કરોડના ખર્ચે 40 સ્કૂલો રીનોવેટ કરાશે

Karnavati 24 News

કચ્છના 1.80 લાખથી વધુ ખેડૂતો પર આર્થિક બોજો વધ્યો : રાસાયણિક ખાતરના વધતા ભાવ નિયંત્રણમાં લાવવા રજુઆત

Karnavati 24 News

કેલિફોર્નિયામાં સામૂહિક ગોળીબાર; 10 લોકોના મોત પર અમેરિકાનો ધ્વજ અડધો ઝુકેલો રહેશે, રાષ્ટ્રપતિ જો બાઇડનનો આદેશ

Admin
Translate »