જોરાવરનગર- રતનપર હિતરક્ષક સમિતિએ સાંસદને લેખિત રજૂઆત કરી હતી. જેમાં જોરાવરનગરમાં સુરેન્દ્રનગર-લીંબડી-સુરેન્દ્રનગર રૂટની બસને અને મહુવા-સુરત-મહુવા ટ્રેનને સ્ટોપેજ અપાવવા માંગ કરી હતી.જ્યારે મુસાફરોને સુવિધા મળે માટે સુરેન્દ્રનગર-ભાવગનર રૂટની લોકલ ટ્રેન શરૂ કરાવવા માંગ કરી હતી.
….જોરાવરનગર-રતનપર હિતરક્ષક સમિતિના પી.વી.વાઘેલા, ભગીરથસિંહ ઝાલા સહિત આગેવાનોએ સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરાને લેખિત રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યા મુજબ મહુવા-સુરત-મહુવા ટ્રેન જ્યારથી ચાલુ થઇ ત્યારથી કાયમી ધોરણે જોરાવરનગર સ્ટેશને સ્ટોપેજ આપ્યુ હતુ. પરંતુ કેટલાક સમયથી બંધ કરી જનતાને અન્યાય કરાઇ રહ્યો છે.માટે સ્ટોપેજ અપાવવા જણાવ્યુ હતુ.જ્યારે સુરેન્દ્રનગર-લીંબડી-સુરેન્દ્રનગર રૂટની તમામ બસ જોરાવરનગર થઇ ચાલતી હતી.પરંતુ ઘણા સમયથી બારોબાર વઢવાણ થઇને ચલાવાય છે.જેથી રાજહોટલ, રતનપર, ફાટક, જોરાવનગર, ગણપતિ ફાટસર મુસાફરોને અન્યાય થાય છે.આ અંગે એસટી નિયામકને રજૂઆત છતા કાંઇ કરાતુ નથી આથી તે ચાલુ કરાવવા માંગ કરી તે હતી. આ ઉપરાંત ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેન બપોરે 1:30 કલાકે સુરેન્દ્રનગર જંકશનથી ઉપડી 1:46 કલાકે જોરાવરનગર આવતી જે ઘણા સમયથી બંધ કરાઇ છે.જોરાવનગરથી અભ્યાસભાટે 1 કલાકે વિદ્યાર્થી છુટે છે સાંજના 4:15 પહેલા કોઇ ટ્રેન નથી.આથી સમય વિતાવવા મજબુર થવુ પડે છે.આ ઉપરાંત વેપારીઓ પણ અપડાઉન કરતા હોવાથી હાલાકી થાય છે. આથી ભાવનગર-સુરેન્દ્રનગર લોકલ ટ્રેન શરૂ કરવા માંગ કરી હતી.