Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ભિલોડા પંથકમાં ભારે વરસાદે તારાજી સર્જી તો હવે જગતના તાતના માથે ચિંતા, પાકમાં ઇયળનો ઉપદ્રવ વધ્યો

અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ભારે વરસાદે તારાજી સર્જી હતી જેને લઇને ભિલોડા પંથકમાં ભારે નુકસાન થયું છે, જેમાં શામળાજી પંથકમાં દુકાનદારોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તો બીજી બાજુ ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. જે ખેડૂતોનો પાક બચી ગયો હતો તેમના પાકમાં હવે રોગ આવતા ખેડૂતોની ચિંતમાં વધારો થયો છે. ખેડૂતોના પાકમાં સફેદ ફૂગ, લીલી અને કાબરી ઇયળનો ઉપદ્રવ વધવાને કારણે પાક નિષ્ફળ થવાની ભીતી સેવાઈ રહી છે.

જિલ્લાના ભિલોડા, મોડાસા, મેઘરજ અને ધનસુરા પંથકમાં ભારે વરસાદ થયો હતો, તેમાંય ખાસ કરીને મેશ્વો જળાશય ઓવરફ્લો થતાં નદી કાંઠાના ખેતરો જળમગ્ન થતાં ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યુ હતું ત્યારે ચોમાસાની સિઝનમાં ખાસ મગફળી, સોયાબીન, મકાઈ, દિવેલાનું વાવેતર હવે નષ્ટ થવાની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે.

ભિલોડા તાલુકામાં 20 હજાર હેક્ટર જમીનમાં મગફળીનું થયું છે, પણ વરસાદી પાણી ફરી વળતા મગફળી સહિતના પાકોમાં રોગ આવતા પાન પીળા પડી જતાં ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાઈ ગયા છે. ત્યારબાદ મગફળીમાં લીલી અને કાબરી ઈયળોનો ઉપદ્રવ શરૂ થયો છે.

संबंधित पोस्ट

 સામાન્ય દિવસોમાં ભરચક રહેતા ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક વધ્યો ઉતરાયણ પર્વને અનુલક્ષી ટ્રાફિકનું ભારણ વધ્યું

Karnavati 24 News

લાઠી શહેર માં સંતોક બા મેડિકલ સેન્ટર લાલજી દાદા ના વડલા દ્વારા અન્ન આરોગ્ય નો અવિરત સેવાયજ્ઞ

Admin

CAની આર્ટિકલશિપનો સમય ત્રણથી ઘટાડી બે વર્ષનો કરાશે, ઇન્ટર પછી બે વર્ષની ફરજિયાત આર્ટિકલશિપ કરવી પડશે

Admin

પાટણના યુવાન પાસે 50 હજારની ખંડણી માંગનારની પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી

Admin

ગુજરાતનું પ્રથમ બજેટ 1960માં રજૂ કરાયું ત્યારે 114.92 કરોડનું હતુ, જાણો અજાણી વાતો

Karnavati 24 News

ભાવનગરના સિંચાઈ વિભાગના તત્કાલીન અધિકારીએ રાષ્ટ્રીયકક્ષાનો ’સ્કોચ’ઇજનેરી એવોર્ડ જીતી ભાવનગર જિલ્લાનો પરચમ દેશમાં લહેરાવ્યો રાષ્ટ્રના વિકાસ માટે

Admin