Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ભિલોડા પંથકમાં ભારે વરસાદે તારાજી સર્જી તો હવે જગતના તાતના માથે ચિંતા, પાકમાં ઇયળનો ઉપદ્રવ વધ્યો

અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ભારે વરસાદે તારાજી સર્જી હતી જેને લઇને ભિલોડા પંથકમાં ભારે નુકસાન થયું છે, જેમાં શામળાજી પંથકમાં દુકાનદારોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તો બીજી બાજુ ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. જે ખેડૂતોનો પાક બચી ગયો હતો તેમના પાકમાં હવે રોગ આવતા ખેડૂતોની ચિંતમાં વધારો થયો છે. ખેડૂતોના પાકમાં સફેદ ફૂગ, લીલી અને કાબરી ઇયળનો ઉપદ્રવ વધવાને કારણે પાક નિષ્ફળ થવાની ભીતી સેવાઈ રહી છે.

જિલ્લાના ભિલોડા, મોડાસા, મેઘરજ અને ધનસુરા પંથકમાં ભારે વરસાદ થયો હતો, તેમાંય ખાસ કરીને મેશ્વો જળાશય ઓવરફ્લો થતાં નદી કાંઠાના ખેતરો જળમગ્ન થતાં ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યુ હતું ત્યારે ચોમાસાની સિઝનમાં ખાસ મગફળી, સોયાબીન, મકાઈ, દિવેલાનું વાવેતર હવે નષ્ટ થવાની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે.

ભિલોડા તાલુકામાં 20 હજાર હેક્ટર જમીનમાં મગફળીનું થયું છે, પણ વરસાદી પાણી ફરી વળતા મગફળી સહિતના પાકોમાં રોગ આવતા પાન પીળા પડી જતાં ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાઈ ગયા છે. ત્યારબાદ મગફળીમાં લીલી અને કાબરી ઈયળોનો ઉપદ્રવ શરૂ થયો છે.

संबंधित पोस्ट

 પાટણના જાયન્ટ્સ પરિવારે દાતાઓના સહયોગથી સુર્યાનગર શાળાના 250 બાળકોને સ્વેટર વિતરણ કર્યુ

Karnavati 24 News

અમદાવાદમાં અનોખુ શિક્ષણકાર્ય , સિગ્નલ સ્કૂલ બસ સેવાનો રવિવારથી પ્રારંભ કરવામાં આવ્યો

Karnavati 24 News

ગુજરાતમાં સાંકડા પુલો-સ્ટ્રકચર્સને પહોળા કરવા ૪૬૭.૫૦ કરોડ રૂપિયા ફાળવાયા

Gujarat Desk

 વાઘોડિયા રોડ પર તુટેલા ઢાંકણામાંથી ગાય વરસાદી કાંસમાં ખાબકી, ફાયર જવાનોએ રેસ્ક્યૂ કરી

Karnavati 24 News

જૈન તીર્થ ક્ષેત્ર પાલીતાણાને જોડતા રસ્તાઓના નિર્માણ અને વિકાસ માટે રૂ. ૫૨ કરોડ મંજૂર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk

સુરત શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસાર કોરોના સંક્રમણ વધતા 4થી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ

Karnavati 24 News
Translate »