સુરત શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસાર કોરોના સંક્રમણ વધતા 4થી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ
સુરત શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસાર કોરોના સંક્રમણ વધતા 4થી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ લગાવાયો છે. સભા કરવા કે સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસને WHOએ વૈશ્વિક મહામારી જાહેર કરી છે, જે અનુસંધાને કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે અને સુરત શહેરમાં આગામી દિવસોમાં ધાર્મિક તહેવારો તેમજ રેલીઓ ધરણાઓના કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે.
જેથી કોઇપણ પ્રકાર ની સુલેહ શાંતિનો ભંગ ન થાય, જાહેર સલામતિ અને કાયદો,વ્યવસ્થા જળવાય રહે તે માટે સુરત પોલીસ કમિશ્નરે કેટલાક પ્રતિબંધો ફરમાવતું જાહેરનામુ જાહેર કર્યું છે. સુરત શહેર પોલીસ કમિશ્નર અજય તોમર ના આદેશ અનુસાર, સુરત પોલીસ કમિશ્નરે વિસ્તારમાં પરવાનગી વગર જાહેર જગ્યા ઉપર ચાર કે ચાર કરતા વધારે માણસોએ ભેગા થવું નહીં. તેમજ કોઇ સભા ભરવી કે બોલાવવી નહીં અને કોઇ પણ જાતની સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.