જુનાગઢ ના ગરવા ગિરનારની ગોદમાં આવેલ ગુપ્ત દ્વાર સમા જટાશંકર મહાદેવના મંદિર ખાતે સ્વાતંત્ર પર્વની ધામધૂમ પૂર્વ ઉજવણી કરવામાં આવી હતી પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર હોય અને સ્વાતંત્ર પર્વનો સમન્વય હોય જટા શંકર મહાદેવ મંદિર ખાતે રાષ્ટ્રના તિરંગાને શણગારથી મહાદેવને સજાવવામાં આવ્યા હતા મંદિરના મહંત શ્રી પૂનાનંદજી મહારાજની અધ્યક્ષતામાં સેવક ગણ શ્રદ્ધાળુઓ તથા ભાવિકજનો દ્વારા રાષ્ટ્ર વંદના નો પણ કાર્યક્રમ યોજાયો હતો વિશ્વ કલ્યાણ અને રાષ્ટ્રની ઉન્નતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી ધર્મ અને રાષ્ટ્રનો જયઘોષ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભવનાથ મંડળના સાધુ-સંતો તથા ગિરનારની ગુપ્ત સીડી સમા વિસ્તારમાં આવેલ જટાશંકર મહાદેવ ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો અને યાત્રિકો આવે છે તે પણ આ સ્વતંત્ર પર્વના કાર્યક્રમોમાં ધામધૂમ પૂર્વક જોડાઈને ભાગ લીધો હતો આ કાર્યક્રમથી લોકોમાં દેશ પ્રત્યે જાગૃતતા આવે અને રાષ્ટ્ર ધર્મ સાથે રાજધર્મ શું છે તે લોકોને માહિતી મળે તે માટે દરેક લોકોએ પણ સ્વતંત્રતા પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી અને આઝાદીકા અમૃત મહોત્સવમાં ભાગ લીધો હતો