Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

હજુ પણ તમે ઘરમાં એસી ચાલુ કરો છો? તો આજથી જ કરી દેજો બંધ, જાણો કેમ

આજના આ સમયમાં દિવસને દિવસે ગરમીનું પ્રમાણ અતિશય વધી રહ્યું છે ત્યારે અનેક લોકોને એસીમાં ઊંઘવાની આદત પડી ગઇ હોય છે. એસીમાં ઊંઘવાથી સ્વાસ્થ્યને અનેક ઘણી તકલીફો થાય છે.  એમાં પણ હાલમાં ડબલ ઋતુ ચાલી રહી છે ત્યાં તમે એસીમાં ઊંઘતા હોવ તો આજે જ બંધ કરી દેજો. નહિં તો તમે બીમાર પડી જશો અને સ્વાસ્થ્ય પણ ખરાબ થવા લાગશે. તો જાણો એસીમાં ઊંઘવાથી સ્વાસ્થ્યને થતા આ નુકસાન વિશે…

  • એસીમાં ઊંઘવાની આદત તમારી સ્કિનને ડ્રાય બનાવી દે છે. આમ, જો તમને પણ એસીમાં ઊંઘવાની આદત છે તો હવે એને કંટ્રોલ કરો નહિં તો તમારી સ્કિન પર એની સૌથી મોટી અસર જોવા મળશે.
  • એસીમાં ઊંઘવાથી શરદી-ઉધરસ જલદી થઇ જાય છે. એમાં પણ જો તમે આ ડબલ ઋતુમાં એસી ઊંઘો છો તો તમારે આજથી જ બંધ કરી દેવું જોઇએ નહિં તો તમે બીમાર પડી શકો છો. આ ઋતુમાં જલદી તમને શરદી-ઉધરસ થઇ જાય છે અને તમે વધારે બીમાર પડી જાવો છો.
  • સતત એસીમાં ઊંઘવાથી શરીર જકડાઇ જાય છે અને સાંધાના દુખાવા થવાના શરૂ થઇ જાય છે. તમને જણાવી દઇએ કે જો તમે સતત એસીમાં ઊંઘો છો તો તમને સતત માથુ દુખવુ, કમરનો દુખાવો થવો, ઢીંચણમાં દુખાવો થવો તેમજ બીજી પણ અનેક ઘણી તકલીફો થઇ શકે છે.
  • ખાસ કરીને બહુ ગરમી હોય ત્યારે નાના બાળકોને એસીમાં ઊંઘાડવાનો આગ્રહ રાખો. જો કે આ ડબલ સિઝનમાં પણ ઘણાં પેરેન્ટ્સ પોતાના બાળકને એસીમાં ઊંઘાડતા હોય છે. જો તમે પણ કંઇક આવું જ કરી રહ્યા છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. તમારી આ ભૂલ બાળકને બીમાર પાડી શકે છે.
  • એક ખાસ વાત જણાવી દઇએ કે જો તમે સતત એસીમાં રહો છો તો તમારું બોડી બહારના વાતાવરણને જલદી એક્સેપ્ટ કરી શકતુ નથી જેના કારણે તમને જ્યારે બહાર જવાનું થાય ત્યારે તમે જલદી બીમાર પડી જાવો છો. આ માટે બને ત્યાં સુધી એસીની આદત ઓછી પાડો.

संबंधित पोस्ट

દરરોજ 30 મિનિટ માટે ડાન્સ કરો અને આ રોગોને ‘ગુડબાય’ કહો.

Karnavati 24 News

શું તમે તમારા ચહેરા પરના સફેદ દાગથી પરેશાન છો? તો આ ટિપ્સ ફોલો કરો.

Karnavati 24 News

શા માટે દરરોજ 4,000 ડગલાં ચાલો?

Karnavati 24 News

તમારા કામનું / સફેદ વાળને આ વસ્તુની મદદથી બનાવો નેચરલ બ્લેક, ડાઈ પણ લગાવવાની જરૂર નહીં પડે

Admin

ઓફિસમાં કલાકો સુધી કામ કરતી વખતે આંખો અને માથામાં દુખાવો; તો આ કામ માત્ર 2 મિનિટ કરો.

Karnavati 24 News

અપનાવો આ વાસ્તુ ટિપ્સ, ‘વેલેન્ટાઇન વીક’માં પતિ-પત્ની વચ્ચે નહિં થાય કોઇ ઝઘડો

Karnavati 24 News