(જી.એન.એસ) તા.૯
બનાસકાંઠા,
પાલનપુર પૂર્વ પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જીલ્લામાં પાલનપુરના ઈદગાહ રોડ પર રૂપિયા 2.50 લાખની લૂંટ મચવા પામતા ભયનો માહોલ સર્જાયો છે. પાલનપુર પૂર્વ પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જીલ્લામાં પાલનપુરમાં ઈદગાહ રોડ પર આવેલા નાણા ધીરનારના વેપારી સાથે લાખોની લૂંટ મચી હતી. પોતાના ઘરની પાસે વાહન પાર્ક કરતા અજાણ્યા ઈસમો રોકડ અને દાગીનાનો થેલો હાથમાંથી ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. માહિતી પ્રમાણે થેલામાં 2.50 લાખ રોકડ, સોના–ચાંદીના દાગીના હોવાનું સામે આવ્યું છે. ભયભીત થયેલા વેપારીએ પાલનપુર પૂર્વ પોલીસમાં સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. હાલ CCTV કેમેરાના આધારે પાલનપુર પોલીસ ઈસમોને શોધી રહી છે. વેપારી પાસે ઘટનાનું નિવેદન લેવામાં આવ્યું છે. આરોપીઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.