Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

હાર્દિક પંડ્યાને ભારતીય ટેસ્ટ ટીમમાં તક મળવી જોઇએ, પૂર્વ દિગ્ગજ ખેલાડીનું નિવેદન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહનું માનવુ છે કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ ઇંગ્લેન્ડ ટેસ્ટ માટે ટીમમાં જગ્યા મળવી જોઇતી હતી. હરભજન અનુસાર શાર્દુલ ઠાકુરે સારૂ કામ કર્યુ છે પરંતુ હાર્દિક પંડ્યાના હોવાથી ટીમને મજબૂતી મળતી કારણ કે તે સારા ફોર્મમાં છે.

આઇપીએલમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન સારૂ રહ્યુ હતુ. હાર્દિક પંડ્યાએ આઇપીએલ 2022માં જોરદાર રીતે કેપ્ટન્સી કરતા ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યુ હતુ. હાર્દિક પંડ્યાએ 15 મેચમાં પોતાની ટીમ માટે સૌથી વધારે 487 રન બનાવ્યા હતા. ગત સીઝનમાં તેણે ચાર અડધી સદી પણ ફટકારી હતી. બોલિંગમાં પણ હાર્દિક પંડ્યાએ આઠ વિકેટ ઝડપી હતી અને તેનો ઇકોનોમી રેટ 7.27નો રહ્યો હતો.

તે બાદ હાર્દિક પંડ્યાને આયરલેન્ડ વિરૂદ્ધ 2 ટી-20 મેચની સીરિઝ માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તેની કેપ્ટન્સીમાં ટીમે ટી-20 સીરિઝમાં શાનદાર રીતે જીત મેળવી હતી.

મહત્વપૂર્ણ છે કે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચમી ટેસ્ટ મેચ માટે હાર્દિક પંડ્યાનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. હાર્દિક પંડ્યા ઇંગ્લેન્ડ સામે ટી-20 અને વન ડેમાં રમતો જોવા મળશે.

संबंधित पोस्ट

શ્રેયસ અય્યર-સંજૂ સેમસન સહિતના આ 5 સ્ટાર ખેલાડી, 2023 વર્લ્ડકપ માટે થઇ રહ્યા છે તૈયાર

Admin

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝને ક્લીન સ્વીપ કરવા માટે ટીમ ઈન્ડિયા કેટલાક ફેરફાર સાથે મેદાને ઉતરી

Karnavati 24 News

 સુત્રાપાડા કોલેજ માં યોજાયેલ આંતરકોલેજ હેન્ડ બોલ સ્પર્ધા

Karnavati 24 News

રવિન્દ્રસિંહ જાડેજાઃ અલ્લુ અર્જુનના અવતારમાં જોવા મળતા પુષ્પાના ‘ભૂત’ પર સવાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની તસવીર વાયરલ

Karnavati 24 News

ભારતે પ્રથમ અનઓફિશિયલ વોર્મઅપ મેચમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાને 13 રને હરાવ્યું, સૂર્યા-અર્શદીપ ઝળક્યા

ભારતીય ધરતી પર શુભમન ગિલની પ્રથમ ટેસ્ટ સેન્ચુરી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કર્યો રનનો વરસાદ

Karnavati 24 News
Translate »