Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આખરે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી દીધી

હારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આખરે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ મહારાષ્ટ્રની રાજકીય ઉથલ-પાથલે હવે નવો વળાંક લીધો છે.

ભાજપ અને અપક્ષના કેટલાક ધારાસભ્યોએ ગઈકાલે ફ્લોર ટેસ્ની માગણી ઉઠાવી હતી.

ત્યારે એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનાના બળવાખોરો આજે ગુવાહાટીથી ગોવા જશે તેવા અહેવાલો મળી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેને ગુરૂવારના રોજ ફ્લોર ટેસ્ટ દ્વારા પોતાની બહુમતી સાબિત કરવા આદેશ આપવામાં આવ્યો છે
બળવાખોરો તાજ રિસોર્ટ એન્ડ કન્વેન્શન સેન્ટરમાં રોકાય તેવી શક્યતા છે અને તે માટે 71 રૂમ બુક કરી દેવામાં આવ્યા છે. સાંજે 4:30 કલાકે પ્રાઈવેટ જેટ ગોવામાં લેન્ડ થાય તેવી શક્યતા છે. ગુવાહાટીની રેડિસન બ્લુ હોટેલમાં એક સપ્તાહના રોકાણ બાદ ધારાસભ્યોને લેવા માટે બસો આવી પહોંચી છે અને સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આવતીકાલે વિધાનસભાના વિશેષ સત્રમાં ફ્લોર ટેસ્ટ દ્વારા પોતાની બહુમતી સાબિત કરવાના છે. આ કારણે મુંબઈથી નજીક હોવાના કારણે તથા ભાજપની સત્તા હોવાના કારણે શિવસેનાના બળવાખોર નેતાઓ માટે ગોવા એક અનુકૂળ સ્થળ બની શકે છે.

संबंधित पोस्ट

જામનગર ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજ્યકક્ષાના કૃષિ મેળાનું આયોજન કરાયું

Karnavati 24 News

૨૦૨૨ વિધાનસભા નું ઈલેકશન : ખભે થી ખભો મિલાવીને સંગઠન મજબૂતાઈ સાથે તૈયારી કરશે

Karnavati 24 News

23 જાન્યુઆરી 2022ના રોજ પાટણ જિલ્લામાં 0થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને રસીના ટીપા પીવડાવાશે

Karnavati 24 News

આદિત્ય ઠાકરેના જવાબમાં ભાજપ મેદાનમાં ઉતારશે તેજસ્વી સૂર્યાને; મહારાષ્ટ્રમાં જામશે ખરાખરીનો જંગ

Admin

વડાપ્રધાનના હસ્તે અડાલજ ખાતે અન્નપૂર્ણા ધામમાં બનાવવામાં આવેલ હોસ્ટિપલ અને છાત્રાલયનું ઉદઘાટન કરાશે

Karnavati 24 News

રાજુલા માં ગાયમાતા નાં લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તથા કોંગ્રેસ પરિવાર દ્વારા રૂ. ૧૧૧૧૧૧/- રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું…

Karnavati 24 News
Translate »