Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

હવે IT રિટર્ન ભરવા માટે નહીં ચૂકવવો પડે કોઇ ચાર્જ, આ સ્ટેપ્સથી ઘરેથી જ સરળતાપૂર્વક રિટર્ન ભરો

ભારતમાં દર વર્ષે આવકવેરો ભરવો પડે છે. જો કે અનેક લોકોને ઑનલાઇન IT રિટર્ન ભરવાનું કામ વધુ પડકારજનક લાગે છે જેને કારણે તેઓ દર વર્ષે કોઇ એજન્ટ મારફતે આઇટી રિટર્ન ભરે છે. જો કે તેના બદલામાં એજન્ટ સર્વિસ ચાર્જ વસૂલ કરે છે. કેટલાક એજન્ટ્સ તો ટેક્સ ભરવા માટે હજાર થી બે હજાર રૂપિયા પણ લે છે. શું તમે પણ હવે કોઇપણ પ્રકારનો ચાર્જ ચૂકવ્યા વગર ટેક્સ ભરવા માંગો છો? તો આજે અમે આપને જાતે જ IT રિટર્ન ભરવાની રીત જણાવીશું. જેનાથી પૈસાની સાથે સાથે તમારા સમયની પણ બચત થશે. ઑનલાઇન ટેક્સ ભરવા માટે આવકવેરા વિભાગ દ્વારા કેટલાક સ્ટેપ્સ અંગે કરદાતાઓને જાણકારી આપવામાં આવી છે. તમે પણ આ સ્ટેપ્સ ફોલો કરીને સરળતાપૂર્વક ઇનકમટેક્સ ઓનલાઇન ફાઇલ કરી શકો છો.

– સૌ પ્રથમ તમારે ઇનકમટેક્સની વેબસાઇટ www.incometaxindiafiling.gov.in પર જવાનું રહેશે.

– હવે અહીં તમારા PAN નંબરથી લોગ ઇન કરો.

– હવે ડાઉનલોડ્સ પર જઇને સંબંધિત વર્ષ હેઠળ ITR-1 રિટર્ન પ્રિપેરેશન સોફ્ટવેર પર ક્લિક કરો. તે એક્સેલ ફોર્મેટમાં ડાઉનલોડ થશે.

– હવે એક્સેલ શીટ ખોલો અને ફોર્મ-16 સંબંધિત વિગતો ભરો.

– એકવાર વિગતો ઉમેર્યા બાદ દરેક વિગતોની સંપૂર્ણપણે ખરાઇ કરો અને તેને સેવ કરો.

– હવે ‘સબમિટ રિટર્ન’ પર જાઓ અને સેવ કરેલી એક્સેલ શીટ અપલોડ કરવાની રહેશે.

– હવે તમારે તમારા ડિજીટલ હસ્તાક્ષર અપલોડ કરવાના રહેશે અને તમે આ સ્ટેપને સ્કિપ પણ કરી શકો છો.

– હવે તમે Successful e-filing Submissionsનો મેસેજ તમારી સ્ક્રીન પર જોવા મળશે.

– હવે ITR ફોર્મ તમારા ઇમેલ આઇડી પર મોકલી દેવામાં આવશે.

તમે આ રીતે ITR વેરિફિકેશન ડાઉનલોડ કરી શકો છો.

– સૌથી પહેલા ઇનકમ ટેક્સ ઇન્ડિયાની વેબસાઇટ પર લોગ ઇન કરવાનું રહેશે. –

ત્યારબાદ ‘View Returns/ Forms’ પર જઇને તમારું ઇ-ફાઇલ આઇટીઆર જોઇ પણ શકો છો.

संबंधित पोस्ट

ફરી પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, જાણો કયા શહેરમાં કેટલા ભાવ વધ્યા છે, ગઈ કાલે 80 પૈસાનો વધારો થયો હતો

Karnavati 24 News

વિવાદ: અશનીર ગ્રોવરને ભારત પેએ તમામ પદ પરથી હટાવી દીધા

Karnavati 24 News

JIO 31 દીવસની વેલીડીટી સાથે લઈને આવ્યો છે આ ધમાકેદાર પ્લાન, જાણો તમામ માહીતી

Karnavati 24 News

બાઈનસે FTX ટોકન્સ (FTT) જમા કરવા પર મૂક્યો પ્રતિબંધ, ક્રીપ્ટો માર્કેટમાં થઈ રહ્યું છે નુકસાન

Admin

નફો ના નુકસાન તે હેતુથી વ્યાજબી ભાવે ફ્રુટ મુસ્લિમ બિરાદરોની મળી રહે તે હેતુથી ફૂટની દુકાન ખોલવામાં આવી

Karnavati 24 News

મોંઘવારીથી વધુ નુકસાન થશે: નૂરની કિંમતમાં વધારો થયો છે, તેના કારણે તમામ પ્રકારના માલના ભાવ વધશે.

Karnavati 24 News
Translate »