ફિનટેક કંપની ભારત પે અને અશનીર ગ્રોવરનો વિવાદ વધી રહ્યો છે. કંપનીના બોર્ડે અશનીરને તમામ પદ પરથી હટાવવાનો નિર્ણય લીધો છે. બોર્ડની બેઠક બાદ કંપનીએ એક નિવેદન જાહેર કરીને તેની જાણકારી આપી છે. આ સાથે જ કંપનીએ જણાવ્યુ કે ફાઇનાન્શિયલ મિસડીડને લઇને તે અશનીર ગ્રોવર વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની છે.એક દિવસ પહેલા અશનીર ગ્રોવરે બોર્ડના નામે ઇમોશનલ લેટર લખીને રાજીનામુ આપ્યુ હતુ. અશનીર ગ્રોવરે રિઝાઇન કરતા લેટરમાં કેટલીક ભાવુક વાતો કરી હતી અને વર્તમાન બોર્ડ પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા હતા, તેમણે લખ્યુ હતુ, હું દુખ સાથે આ લેટર લખી રહ્યો છું કારણ કે મે જે કંપની બનાવી, મારે તેને છોડવી પડી રહી છે. જોકે, મને આ વાતનું ગૌરવ છે કે આજે ભારત પે ફિનટેકની દુનિયામાં લીડર છે. આ વર્ષની શરૂઆતથી જ મને અને મારા પરિવારને આધારહિન વાતોમાં ઉલજાવવામાં આવ્યા. કંપનીમાં જે પણ આવા લોકો છે, તે મારી છબી ખરાબ કરવા માંગે છે. તે કંપનીને પ્રોટેક્ટ કરવાનો દેખાવો ભરે કરી રહ્યા છે પરંતુ તે ભારત પેને પણ નુકસાન પહોચાડવા માંગે છે.