Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજીબિઝનેસ

વિવાદ: અશનીર ગ્રોવરને ભારત પેએ તમામ પદ પરથી હટાવી દીધા

ફિનટેક કંપની ભારત પે અને અશનીર ગ્રોવરનો વિવાદ વધી રહ્યો છે. કંપનીના બોર્ડે અશનીરને તમામ પદ પરથી હટાવવાનો નિર્ણય લીધો છે. બોર્ડની બેઠક બાદ કંપનીએ એક નિવેદન જાહેર કરીને તેની જાણકારી આપી છે. આ સાથે જ કંપનીએ જણાવ્યુ કે ફાઇનાન્શિયલ મિસડીડને લઇને તે અશનીર ગ્રોવર વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની છે.એક દિવસ પહેલા અશનીર ગ્રોવરે બોર્ડના નામે ઇમોશનલ લેટર લખીને રાજીનામુ આપ્યુ હતુ. અશનીર ગ્રોવરે રિઝાઇન કરતા લેટરમાં કેટલીક ભાવુક વાતો કરી હતી અને વર્તમાન બોર્ડ પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા હતા, તેમણે લખ્યુ હતુ, હું દુખ સાથે આ લેટર લખી રહ્યો છું કારણ કે મે જે કંપની બનાવી, મારે તેને છોડવી પડી રહી છે. જોકે, મને આ વાતનું ગૌરવ છે કે આજે ભારત પે ફિનટેકની દુનિયામાં લીડર છે. આ વર્ષની શરૂઆતથી જ મને અને મારા પરિવારને આધારહિન વાતોમાં ઉલજાવવામાં આવ્યા. કંપનીમાં જે પણ આવા લોકો છે, તે મારી છબી ખરાબ કરવા માંગે છે. તે કંપનીને પ્રોટેક્ટ કરવાનો દેખાવો ભરે કરી રહ્યા છે પરંતુ તે ભારત પેને પણ નુકસાન પહોચાડવા માંગે છે.

संबंधित पोस्ट

પોસ્ટ ઓફિસની મજબુત સ્કીમ, એક વર્ષમાં તમને બેંકમાંથી મળશે વધુ લાભ, જાણો તમામ વિગતો

Karnavati 24 News

 ચલાલા નગરપાલિકામાં ચીફ ઓફિસર સામે ઉઠ્યો વિરોધનો સૂર

Karnavati 24 News

શ્રીલંકામાં મોંઘવારીનો દર 60.8 % પર પહોંચ્યો, ખાદ્ય પદાર્થો અને ઈંધણની અછત યથાવત

Karnavati 24 News

એરલાઇનની સેવાથી નાખુશ: 79% માને છે કે એરલાઇન કંપનીઓ આરામ સાથે સમાધાન કરી રહી છે, ફ્લાઇટમાં વિલંબની મોટાભાગની ફરિયાદો

Karnavati 24 News

વોટ્સએપ પર 30 સેકન્ડમાં મળશે લોનઃ ડોક્યુમેન્ટ્સ અને એપ્લિકેશન ફોર્મ ભરવાની જરૂર નથી, જાણો સમગ્ર પ્રક્રિયા

Karnavati 24 News

ટ્વિટરની વિશેષતાએ માર્કેટમાં તેજી મેળવી! મજા ટિકની જેમ પડી જશે!

Karnavati 24 News
Translate »