Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

તા.૧૯ ડિસે.ના રોજ સુરત જિલ્લાની ૩૯૧ બેઠકો પર ચૂંટણી: ૨,૫૩૯ વોર્ડના સભ્યોનું ભાવિ નક્કી થશે

આગામી તા.૧૯ ડિસે.-રવિવારના રોજ સુરત જિલ્લામાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીના મહાસંગ્રામમાં ૯ તાલુકાની ૪૦૭ બેઠકોમાંથી ૧૬ બેઠકો બિનહરીફ થઈ છે. જ્યારે ૩૯૧ બેઠકો ૧૯ ડિસે. નાં રોજ મતદારો પોતાના પસંદગીના ઉમેદવારને ચૂંટશે. ૪,૦૬,૧૧૦ પુરૂષો અને ૩,૯૪,૨૦૫ મહિલાઓ અને અન્ય ૭ એમ કુલ ૮,૦૦,૩૨૨ મતદારો મત આપી ૨,૫૩૯ વોર્ડના સભ્યોનું ભવિષ્ય નક્કી કરશે. સુરત જિલ્લામાં મતદાનની પ્રક્રિયા સુવ્યવસ્થા સાથે જળવાઈ રહે તે માટે ૯૪૯ મતદાન મથકો પર ૧૦૨ ચૂંટણી અધિકારીઓ, ૫,૧૭૨ પોલિંગ સ્ટાફ અને ૧,૬૫૯ પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. ઉપરાંત, સુરત જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ કુલ ૯૪૯ મતદાન મથકો તૈયાર કરાયા છે. જેમાં ઓલપાડમાં ૩૦, માંડવીમાં ૧૦, માંગરોલમાં ૪૧ અને ઉમરપાડામાં ૧૩ એમ કુલ ૯૪ મતદાન મથકો અતિસંવેદનશીલ અને ચોર્યાસીમાં ૨૮, ઓલપાડમાં ૫૨, કામરેજમાં ૧૫, પલસાણામાં ૨૬, બારડોલીમાં ૩૭, મહુવામાં ૧૫, માંડવીમાં ૨૩, માંગરોળમાં ૩૩, ઉમરપાડામાં ૩૮ એમ કુલ ૨૬૭ સંવેદનશીલ તથા ચોર્યાસીમાં ૨૪, ઓલપાડમાં ૫૭, કામરેજમાં ૧૧૮, પલસાણામાં ૪૩, બારડોલીમાં ૬૭, મહુવામાં ૯૮, માંડવીમાં ૧૧૨, માંગરોળમાં ૪૬ અને ઉમરપાડામાં ૨૩ એમ કુલ ૫૮૮ સામાન્ય મતદાન મથકો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ચોર્યાસી, કામરેજ, પલસાણા, બારડોલી અને મહુવા તાલુકામાં એક પણ અતિસંવેદનશીલ મથક નથી. કોરોના સંક્રમણની રોકથામ માટે સત્તાવાર ગાઈડલાઈન્સ મુજબ મતદાન મથક પર હેન્ડ ગ્લોવ્ઝ, માસ્ક, સેનિટાઈઝર સહિતની વસ્તુઓ સાથે આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહેશે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

संबंधित पोस्ट

ટંકારાના ખીજડીયા નજીક બે બાઈક વચ્ચે અકસ્માતમાં બેના મોત, પરિવારમાં શોક ફેલાયો

Karnavati 24 News

ભિલોડા પંથકમાં ભારે વરસાદે તારાજી સર્જી તો હવે જગતના તાતના માથે ચિંતા, પાકમાં ઇયળનો ઉપદ્રવ વધ્યો

Karnavati 24 News

કચ્છમાં એક દિવસમાં કોરોનાના ૧૩ પોઝિટિવ કેસથી ફફડાટ

Karnavati 24 News

CBSE સેમ 1 ના 2021-22 પરિણામો

Karnavati 24 News

 ચાણસ્માના ખેડૂતે પરંપરાગત ખેતી છોડી ઓર્ગેનિક આમળાની સફળ રીતે ઉત્પાદન મેળવ્યું, બે વિઘામાંથી વર્ષે 1.20 લાખની કમાણી

Karnavati 24 News

કોડીનાર તાલુકાના છાછર ગામે સિંહો દ્વારા રાત્રી દરમિયાન ગામમાં ઘૂસી જતાં બે ગાય ઉપર હુમલો કર્યો હતો.

Karnavati 24 News