ટંકારાના ખીજડીયા નજીક બે બાઈક વચ્ચે અકસ્માતમાં બેના મોત
ટંકારાના ખીજડીયા નજીક અકસ્માત સર્જાતા રોડ ઉપર લોહીના રંગ જોવા મળતા હતા. બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ૨ લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાય હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાથી ખીજડિયા તરફ જતા ઘુનડા રોડ ઉપર સાંજે બે બાઈક સામસામા અથડાતા ૨ લોકોના મોત નિપજ્યા હતા . એક બાઈક ઉપર પરપ્રાંતીય પરિવાર જઈ રહ્યા હતા. જેમાં ૨ યુવાન અને એક યુવતી સવાર હતા. જ્યારે બીજા બાઇકમાં એક સ્થાનિક યુવાન જતો હતા. આ બન્ને બાઈક સામસામા અથડાતા પરપ્રાંતિય પરિવારના બે વ્યક્તિઓનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું. જેમાં મૃતક રીનાબેન જગનભાઇ ભુરીયા અને દિનેશભાઈ રાઘુભાઈ અજ્નારના મૃત્યુ નીપજ્યા હતા જ્યારે પરપ્રાંતિય તથા સ્થાનિક યુવાનને ગંભીર ઇજાઓ પહોચી હતી જેમાં જગનભાઇ ભુરીયા અને કૃપાલસિંહ હોય તો ધટનાની જાણ ટંકારા ૧૦૮ ને કરવામાં આવતા ડો.રુબિયાબેન અને પાયલોટ રાહુલભાઈએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ બંનેને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા તો બનાવને પગલે પરપ્રાંતીય પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો