Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જંબુસરમાં મોડી રાતે બે મકાનમાં ભયંકર આગ ફાટી નીકળી હતી

જંબુસરના માલપુરમાં બે મકાનોમાં મોડી રાતે વિકરાળ આગ ભભૂકી, ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ

જંબુસર તાલુકાના છેવાડાના માલપુર ગામમાં ગઇકાલે બુધવારે બે મકાનોમાં મોડી રાતે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં બે ઘરની ઘરવખરી અને પાક બળીને ખાક થઇ ગયો હતો. ફાયર વિભાગની ગાડીઓ બે કલાક રહીને આવતા ગ્રામજનોએ જંબુસરમાં ફાયર સ્ટેશન ઉભુ કરવા માંગણી કરી છે.
જંબુસરના માલપુર ગામના જૂના સરપંચ ફળીયામાં આવેલા કનુભાઈ મગનભાઈ પરમાર તથા દેવજીભાઇ સોમાભાઈ પરમારના મકાનમાં ગઈકાલે રાતના સુમારે આકસ્મિક આગ લાગી હતી. જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અગનગોળામાં પરિવર્તિત થઈ ગયેલા મકાનોમાં ઘરનું રાચરચીલું, અનાજ, રોકડ, ઘાસચારો અને કપડા સહિતનો સામાન ભસ્મીભૂત થઈ ગયો હતો. ગ્રામજનોએ તાત્કાલિક દોડી આવી આગ બુઝાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા.
આખરે મદદ માટે ઔદ્યોગિક એકમોને કોલ અપાયો હતો. ઓએનજીસી તથા PI ઇન્ડસ્ટ્રીઝના ફાયર ફાઇટરોને મદદે બોલાવવામાં આવ્યા હતા. અંદાજિત બે કલાક બાદ આગ ઉપર કાબુ મેળવી શકાયો હતો. બનાવની જાણ જંબુસર મામલતદાર તથા કાવી પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો જંબુસરમાં ફાયર સ્ટેશન હોત તો વહેલી મદદ મળી રહેતા નુકશાની ઓછી થાત તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું અને જંબુસરમાં ફાયર સ્ટેશન ઉભુ કરવા માંગણી કરી છે.

संबंधित पोस्ट

ભરૂચ:કાર માં ચોર ખાનું બનાવી લઈ જવાતો શરાબ ના જથ્થા સાથે એક ની ધરપકડ

Karnavati 24 News

 ઓમિક્રૉનના કેસ વધતા 12 રાજ્યમાં ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટી પર રોક

Karnavati 24 News

અમદાવાદ શહેર માં આયોજિત ૧૪૫મી રથયાત્રાના શુભપ્રસંગે શુભકામનાઓ

Karnavati 24 News

*ભ્રષ્ટાચાર ની દોડ માં અંધ બનેલ તંત્રની ઘોર બેદરકારી વર્ષો થી રોડ ઉપર છે ખુલ્લા વાયર *

Karnavati 24 News

જેસરના હીપાવડલી ગામ એ નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો જેસરના ગ્રામ્ય વિસ્તારમાં આંખના રોગનું દર્દીઓની સારવાર મળી રહે

Karnavati 24 News

કાળઝાળ ગરમી પડતા પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવા માંગણી કરાઇ

Karnavati 24 News