Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

બારડોલીના કડોદની હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડ શરુ કરવા દાતાઓ આગળ આવ્યા : દર્દીઓને મોટી રાહત થશે

કડોદ દામોદરદાસ ગાંધી હોસ્પિટલમાં કેટલાય સમયથી ઈમરજન્સી વોર્ડની માંગણી કડોદ નગર તથા 17 ગામના લોકોને ઈમરજન્સી આવે ત્યારે દર્દીને તાત્કાલિક સુવિધાના અભાવે દર્દીઓ કડોદથી બારડોલી લઈ જાય ત્યારે રસ્તામાં જ દમ તોડી નાંખે છે. ત્યારે કડોદ અને આજુબાજુના દાનવરી દાતાઓ દ્વારા 20થી 25 દિવસમાં જ સંસ્થાના પ્રમુખ કેતન પટેલ, ઉપપ્રમુખ કાંતુભાઈ પ્રજાપતિ, મંત્રી કિરણ પટેલ, બાલુભાઈ પ્રજાપતિ, પ્રતાપભાઈ દેસાઈ અને બોર્ડના સભ્યોના પ્રયત્નોથી ટૂંકા ગાળામાં દાતાઓ પાસે 30 લાખ દાનની રકમ એકત્ર કરી હતી. જેમનો દામોદરદાસ ગાંધી હોસ્પિટલમાં દાતાઓનું સન્માન રાખવામાં આવ્યું હતું. સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં 20 બેડની છે તેની 50 બેડ માટે ભલામણ કરેલ છે. તેમજ ઓક્સિજન લાઈફ સપોર્ટના ખર્ચના નાણાંકીય ગ્રાન્ટમાંથી પણ આપવામાં આવશે. જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલે 10 લાખના ખર્ચે 10 કેવીનું સોલાર આપવાનું જણાવ્યું હતું. કડોદ નગર તેમજ આજુબાજુના ગ્રામજનોને રાહત દરે સારવાર મળી રહે, દવામાં 20 ટકાની છૂટ તેમજ ઓપીડીનો ચાર્જ માત્ર 20 રૂપિયા લેવાય છે. દરરોજ 100 દર્દીઓ સેવાનો લાભ લે છે. જિ. પં. બાંધકામ સમિતીના અધ્યક્ષ રોહિત પટેલ, આરોગ્ય સમીતી અધ્યક્ષ જિનેશ ભાવસાર, સુડીકો બેંક મેનેજર મહાવિરસિંહ, તા. પં. સભ્ય, સરપંચ, ઉપસરપંચ ધ્વની ભાવસાર, દાતાઓનું સન્માન કરવામાં આવ્ય હતુ.

संबंधित पोस्ट

યાત્રાધામ ભુરખીયા દાદા ના સાનિધ્ય માં મહા ઉત્સવ ઉજવાયો .

Karnavati 24 News

ઉના સરકારી હોસ્પિટલમાં માં રોગી કલ્યાણ સમિતિ ની બેઠક યોજાઇ હતી

Karnavati 24 News

કૃષિ મંત્રીનું કોંગ્રેસ પ્રત્યે મોટુ નિવેદન: આવતી ચૂંટણીમાં ગુજરાતમાંથી કોંગ્રેસ નામશેષ થઇ જશે

Karnavati 24 News

CAની આર્ટિકલશિપનો સમય ત્રણથી ઘટાડી બે વર્ષનો કરાશે, ઇન્ટર પછી બે વર્ષની ફરજિયાત આર્ટિકલશિપ કરવી પડશે

Admin

દિવમાં આર્મી ઓફીસર અને કલેક્ટર વચ્ચે બેઠક, એનસીસીને પ્રોત્સાહન આપવા પર થઇ ચર્ચા

Karnavati 24 News

 ચાણસ્માના ખેડૂતે પરંપરાગત ખેતી છોડી ઓર્ગેનિક આમળાની સફળ રીતે ઉત્પાદન મેળવ્યું, બે વિઘામાંથી વર્ષે 1.20 લાખની કમાણી

Karnavati 24 News