ભાવનગરમાં વિધાનસભા ચૂંટણી પહેલાં એનસીપી સક્રિય બન્યું છે, ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધનને લઇને એનસીપી પ્રફુલ પટેલે સૌથી મોટું નિવેદન આપ્યું છે. તેમને કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાને લઈને તૈયારીઓ દર્શાવી છે.
ખાસ કરીને આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની અંદર ત્રિપાંખિયો જંગ જોવા મળશે ત્યારે ભાજપ કોંગ્રેસ જેવા મોટા પક્ષોની સાથે આમ આદમી પાર્ટી પણ મોટા પક્ષ તરીકે આ વખતે ઉભરી રહ્યું છે અને 182 સીટ ઉપર ચૂંટણી લડવા માટે સજ્જ બન્યું છે. ત્યારે એનસીપીએ પણ કોંગ્રેસ સાથે ગઠબંધનને લઇને જણાવ્યું હતું. પ્રફુલ પટેલે
નિવેદન આપતા કહ્યું હતું કે, જો યોગ્ય રીતે ગઠબંધન કરવા માટે તૈયાર હોય તો અમે ગઠબંધન જરૂરથી કરીશું. જેથી આ વખતે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થાય તો નવાઈ નહીં. તેમણે એ પણ કહ્યું હતું કે અમે વ્યવહારિક ગઠબંધન કરવા માંગીએ છીએ તેવું તેમણે જણાવ્યું હતું.
ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસ એ સક્રીય પાસું માનવામાં આવે છે. જ્યારે અેનસપી તેની સરખામણીમાં કમાલ કરવામાં કામયાબ નથી થઈ. જો કે, ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે હજુ સુધી કોઈને ફાવટ પણ જડી નથી ત્યારે હવે જોવાનું એ છે કે, યા ત્રિ પાંિખયા જંગમાં શું પરીણામ વિધાનસભાની ચૂંટણી પહેલા જોવા મળી શકે છે.