પુત્રીએ માં-બાપને લજાવતા અને પોતાના પિતાના ચારિત્ર્ય પર દાગ લાગવાની ઘટના બનતા પિતાએ આપઘાત કર્યો હતો આ ઘટના રાજકોટના જેતપુર તાલુકાના નવાગઢ ગામની યુવતીએ માણાવદરના સણોસરાના યુવક સાથે ભાગીને લવ મેરેજ કર્યા હતા આ આઘાત તેને પિતા સહન ન કરી શકતા તેમણે ઝેરી દવા પી આપઘાત કરતા અરેરાટી મચી જવા પામી હતી.
આ ઘટનાને લઈને જેતપુર પોલીસને મળેલી ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આ અંગે પોલીસમાં મૃતક જયંતીભાઈ બગડાના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓને બે પુત્ર અને બે પુત્રી છે જેમાંથી વચ્ચેની પુત્રી દોઢ માસ પહેલા યુવક સાથે ભાગી ગઈ અને લવ મેરેજ કર્યા હતા જેના પગલે તેના પિતાને આઘાત લાગતા અને સમાજમાં શું મોઢું બતાવું તેવી વાત સતાવ્યા કરતા તેણે કંટાળીને અંતિમ પગલું ભર્યું હતું
આ ઘટનાને લઈને જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.તેવામાં અનેક વખત આવી ઘટનાઓ બનતી હોય છે તેવામાં વધુ એક ઘટના સામે આવી છે