IIM અમદાવાદ નો લોગો બદલવાનો મુદ્દો ગરમાયો છે. અધ્યાપકોની જાણ બહાર લોગો બદલવાનો આક્ષેપ થઈ રહ્યો છે. 45 અધ્યાપકોએ બોર્ડ ઓફ ડિરેક્ટર ને વાંધો ઉઠાવ્યો છે lIm ડિરેકટર ને
તેમને આ બાબતે પત્ર લખીને વાંધો ઉઠાવ્યો છે ત્યારે આ બાબત સંપૂર્ણ આશ્ચર્યજનક છે. આ નિર્ણય પોતાના મૂળભૂત ઉલ્લંઘન સમાન છે તેવું તેના પ્રોફેસરોનું કહેવું છે.
પ્રોફેસર બોડીનું કહેવું છે કે આ બાબતની જાણ કેમ અમને નથી કરાઈ અમારી સલાહ નથી લેવામાં આવી અને પ્રસ્તાવ પણ નથી મૂકવામાં આવ્યો જ્યારે સામાન્ય સંજોગોમાં IIM ની અંદર અગત્યનો કોઈ મુદ્દો હોય ત્યારે એક પ્રસ્તાવ મુકવામાં આવે છે અને ગવરનિંગ બોર્ડિં અને પ્રોફેસરો વચ્ચે ચર્ચા થાય છે અને ત્યાર બાદ પ્રસ્તાવ પર ચર્ચા થયા બાદ નિર્ણય લેવામાં આવે છે. આ વખતે ફેકલ્ટી કાઉન્સિલના સભ્યોનું કહેવું છે કે આ બાબતે કોઈ રજૂઆત કરવામાં નથી આવી ત્યારે સોશિયલ મીડિયા ની અંદર પણ આ મુદ્દો વાયરલ થયો છે ગવરનિંગ બોડો અને ફેકલ્ટી ની બોડી એ સામસામે આવી ગયા છે. જેને લઇને વાતાવરણ ગરમાયું છે.