Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

ઓલપાડ : કીમ ગામે કાશીરામજીની 88મી જન્મજયંતી નિમિત્તે સલામીનું આયોજન કરવામા આવ્યું

સુરત જીલ્લાના ઓલપાડના કીમ ગામે આવેલ આંબેડકર સર્કલ પર સ્વયંમ સૈનિક દળ દ્વારા કાશીરામજીની 88મી જન્મજયંતી નિમિત્તે સલામીનું આયોજન કરવામા આવ્યું હતું. સ્વયંમ સૈનિક દળ દ્વારા કાશીરામજી ની 88મી જન્મજયંતી નિમિત્તે સુરત થી 35 કિલોમીટર બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વયંમ સૈનિક દળ દ્વાર ઓલપાડના કીમ ખાતે આવેલ આંબેડકર સર્કલ પર કાશીરામજી અને ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સલામીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કીમ આંબેડકર કમિટીના પ્રમુખ જગદીશ જાંબુ, ઉપપ્રમુખ અનવર સલમાની અને ડો. બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ પીપોદરાના પ્રમુખ મહેશ પરમાર સહિત સ્વયંમ સૈનિક દળના કાર્યકર્તા ગામના વડીલો યુવાનો મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાશીરામજી અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સલામી આપી હતી. સલામીના કાર્યક્રમ દરમ્યાન મોટી સઁખ્યામાં લોકો હાજર રહ્યા હતા. 35 કિલોમીટરની બાઇક રેલીમાં મોટી સઁખ્યામાં યુવાનો જોડાયા હતા .સુરત જિલ્લાના ઓલપાડના કીમ ગામે આવેલ આંબેડકર સર્કલ પર સ્વયંમ સૈનિક દળ દ્વારા કાશીરામજીની 88મી જન્મજયંતી નિમિત્તે સલામીનું આયોજન કરવામા આવ્યું હતું.

संबंधित पोस्ट

જહાંગીરપુરી હિંસા : પોલીસે એક જ પરિવારના 5 સભ્યો સહિત કુલ 23 લોકોની ધરપકડ કરી

Karnavati 24 News

કચ્છ માંડવી ખાતે ના મહિલા પત્રકાર/એંકર સાથે આપ ના કાર્યકરો દ્વારા થયેલ અપમાન દેશ ની ચોથી જાગીર અને પત્રકાર જગત ક્યારેય નહિ સાંખીલે…

Karnavati 24 News

રાજુલા માં ગાયમાતા નાં લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તથા કોંગ્રેસ પરિવાર દ્વારા રૂ. ૧૧૧૧૧૧/- રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું…

Admin

પાટણમાં બાળ સુરક્ષા કચેરી પાટણ દ્વારા અનાથ બાળકો તથા પાલકને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની સહાય કરવામાં આવી

Karnavati 24 News

સરકારી નોકરીઓઃ ગૃહ મંત્રાલયે મદદનીશ ઈજનેર સહિત 49 જગ્યાઓ પર ભરતી કરી છે, ઉમેદવારો 24 જૂન સુધી અરજી કરી શકે છે.

Karnavati 24 News

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડના વિરોધમાં જૂનાગઢમાં રેલી યોજી આપવામાં આવ્યું આવેદનપત્ર

Karnavati 24 News