ડાયાબિટીસના દર્દીઓએ અનેક વસ્તુઓથી બચવું જોઇએ. ડાયાબિટીસના દર્દીઓ ખાવા-પીવાનું ધ્યાન નથી રાખતો તો અનેક ઘણી સમસ્યાઓ આગળ જતા થઇ શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ સુગર લેવલ કંટ્રોલમાં રાખવી ખૂબ જરૂરી છે. જો સુગર વધી જાય તો દર્દીને અનેક ઘણી તકલીફ થાય છે. સુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે અનેક બાબતો પર ધ્યાન રાખવું જોઇએ. જો તમે આ વાતો પર ધ્યાન આપતા નથી તો ડાયાબિટીસ વધી જાય છે. તો જાણી લો તમે પણ ડાયાબિટીસના દર્દીઓએ કેવી રીતે સુગરને કંટ્રોલમાં કરવી જોઇએ.
- ડાયાબિટીસના દર્દીઓએ રાત્રે વધારે ખોરાક ખાવો જોઇએ નહિં. આ સાથે જ સુગરને કંટ્રોલમાં કરવા માટે ડિનરમાં હાઇ ફાઇબર અને લો ફેટની વસ્તુઓ ખાવી જોઇએ નહિં.
- રાત્રે ઊંઘતા પહેલા ખાસ તમારી સુગર ચેક કરો. જો તમે રાત્રે સુતા પહેલા સુગર લેવલની તપાસ કરો છો તો આનાથી ડોક્ટરની મદદ મળશે અને તમને પોતાને પણ ખ્યાલ આવશે. રાત્રે સુતા સમયે બ્લડ સુગર 90 થી 150 મિલીગ્રામ પ્રતિ ડેસીલીટર હોવી જોઇએ.
- વિશેષજ્ઞોનું કહેવું છે કે, ડાયાબિટીસના દર્દીઓએ રાત્રે સુતા સમય કોફી, ચા, ચોકલેટ અને સોડા પીવી જોઇએ નહિં, કારણકે આનાથી સુગર લેવલ વધી જાય છે જેના કારણે તમને રાત્રે ઊંઘમાં તકલીફ પડે છે.
- રાત્રે ડિનર લીધા પછી ઓછામાં ઓછું 10 થી 15 મિનિટ ચાલો. જમીને તરત બેસી રહેવાથી અને ઊંઘવાની આદત તમને મુશ્કેલીમાં મુકી શકે છે. ચાલવાથી તમારું સુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને તમને ઊંઘ પણ રાત્રે સારી આવે છે.
- તમારા રૂમનો માહોલ સ્ટ્રેસ ફ્રી બનાવો. સ્ટ્રેસ ફ્રી હોવાથી તમારું બીપી પણ કંટ્રોલમાં રહે છે અને તમને બીજી તકલીફ પડતી નથી.