Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ-વિદેશસ્થાનિક સમાચાર

ભિલોડાના દહેગામડા ગામનો કુલદીપ પટેલ અને મિત્ર યુક્રેનની બોર્ડરે ફસાયા, પરિવાર ચિંતિત

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઇને અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે ત્યારે વધુ એક વિદ્યાર્થી યુક્રેન ફસાઈ જતાં પરિવારજનો ચિંતિત થયા છે.ભિલોડાના દહેગામડાનો કુલદીપ પટેલ અને તેની સાથે એમબીબીએસ કરતો મિત્ર અલ્પેશ પટેલ બંને છેલ્લા 18 કલાકથી યુક્રેનની બોર્ડર પર ફસાયા છે. પરિવારજનોએ જણાવ્યું કે, તેમની પાસે પાણી અને જમવાની કોઈ જ સગવડ ન હોવાથી હાલાકીઓ પડી રહી છે.બોર્ડર પર ફસાયેલા ભારતીયોને રોમાનિયામાં પ્રવેશ કરવા દેવામાં આવે અને બે દિવસ બાદ તેમને રોમાનિયામાંથી પરત ભારત લાવવામાં આવે તેવી સરકાર સમક્ષ પુકાર કરી છે.પિતા દિનેશભાઈ પટેલે વીડિયો સંદેશ માર્ફતે જણાવ્યું કે, કુલદીપ છેલ્લા છ વર્ષથી યુક્રેનમાં એમ.બી.બી.એસ કરે છે પરંતુ યુદ્ધનો માહોલ શરૂ થતા શનિવારે તેમનો પુત્ર કુલદીપ પટેલ અને તેનો મિત્ર અલ્પેશ પટેલ બંને સે ન્યુવસીથી બસ મારફતે રોમાનિયા તરફ જવા નીકળ્યા હતા. જ્યાં રાત્રે 50 કિમી ચાલ્યા બાદ બંને યુક્રેનની બોર્ડર પર પહોંચ્યા હતા. દિનેશભાઇ પટેલે જણાવ્યું કે રવિવારે બપોરે 3:00 માત્ર પાંચ મિનિટ તેમના પુત્ર કુલદીપ સાથે વાત થઇ હતી તેમાં તેણે જણાવ્યું કે અહીંયા જંગલ વિસ્તારમાં આર્મી રોમાનિયામાં પ્રવેશ કરવા દેતી નથી અને મોબાઈલ ચાર્જ કરવાનું તો ઠીક પરંતુ પીવાનું પાણી અને જમવાના પણ ફાંફા ઉભા થયા છે. રોમાનિયાની બોર્ડર પર પહોંચ્યા બાદ યુક્રેનની આર્મી રોમાનિયામાં પ્રવેશ ઉપર રોક લગાવી દેતાં 1200 થી વધુ ભારતીયો ફસાયા છે.મહત્વનું છે કે, આ પહેલા ભિલોડાનો એક જ્યારે બાયડ તાલુકાનો એક મળી કુલ બે વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા ત્યારે વધુ એક વિદ્યાર્થી યુક્રેનમાં ફસાઈ જતાં પરિવારજનોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે.

संबंधित पोस्ट

જેસરના હીપાવડલી ગામ એ નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો જેસરના ગ્રામ્ય વિસ્તારમાં આંખના રોગનું દર્દીઓની સારવાર મળી રહે

Karnavati 24 News

દક્ષિણ ગુજરાતના મુસાફરો માટે આજથી શરૂ થશે વલસાડ, વાપી, બાંદ્રા અને સુરત વિરાર શટલ

Karnavati 24 News

 હળવદના ચરાડવા નજીક એસટીના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા આધેડનું મોત

Karnavati 24 News

जी-20 की भारत के सभी प्रदेशों में 200 मीटिंग्स होंगी: प्रदेश नीति के साथ प्रदेश नीति बढ़ाना मुख्य उद्देश्य

Admin

 જામનગરમાં ઈશુના જન્મ દિવસના વધામણાં કરવા થનગનાટ

Karnavati 24 News

પાટણમાં પંચોલી સુથાર જ્ઞાતિ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ પ્રસંગે ફૂલોની આગી કરાઈ

Karnavati 24 News