Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
જન્માક્ષર

વસંત પંચમીની ધૂમધામથી ઉજવણી દાહોદ થશે

ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ શાસ્ત્ર મુજબ અખાત્રીજ અને વસંત પંચમીનું વિશેષ મહત્ત્વ છે. આજે વસંતપંચમીના રોજ સમગ્ર દાહોદ જિલ્લામાં લગ્નો, ગૃહપ્રવેશ, ખાતમુહૂર્ત તેમજ વેવિશાળ જેવા કેટલાંયે શુભ પ્રસંગોના આયોજન કરવામાં આવ્યા છે. દાહોદમાં આ પર્વે ડબગર સમાજ દ્વારા રાધાકૃષ્ણ મંદીરમાં હવન અને યજ્ઞના કાર્યક્રમનું કરવામાં આવ્યું હતું વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્ર પહેરવાની પ્રથા છે. જો કે આજે શહેરોમાંથી તે લુપ્ત થઈ ગઈ છે. ગામડાઓમાં જરૂર તેનો થોડો પ્રભાવ જોવા મળે છે.હા પણ વસંત પંચમીના દિવસે ગાજરનો હલવો, કેસરિયા ભાત કે કેસરિયા ખીર ખાઈને આજે પણ વસંત પંચમીનો ઉલ્લસ ઉમંગ પ્રગટ થાય છે. પરિવારમાં પ્રસન્નતાનુ વાતાવરણ બને છે.આપણા દેશમાં વસંત ઋતુનુ પોતાનુ જ વિશેષ મહત્વ છે. તેથી વસંત ઋતુઓનો રાજા કહેવાય છે. તેમા પ્રકૃતિનુ સૌદર્ય બધી ઋતુઓથી ચઢિયાતુ હોય છે.વન ઉપવન જુદા જુદા ફુલોથી મહેંકી ઉઠે છે.ગુલમોહર,. ચંપા, સૂરજમુખી અને ગુલાબના ફુલોના સૌદર્યથી આકર્ષિત થઈને પતંગિયા અને ભમરાઓમાં મધુર રસપાનની જાણે કે હરીફાઈ લાગીજાય છે. તેની સુંદરતા જોઈને મનુષ્ય પણ ખુશીથી ઝૂમી ઉઠે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ તહેવાર ખૂબ જ આનંદદાયક હોય છે.આ તહેવારના દિવસે વિદ્યાલયોમાં સરસ્વતી પૂજા થાય છે અને શિક્ષક વિદ્યાર્થીઓ વિદ્યાનુ મહત્વ બતાવે છે અને પુર્ણ ઉલ્લાસ સાથે ભણવાની પ્રેરણા આપે છે.

संबंधित पोस्ट

રાશિફળઃ આ રાશિના જાતકોનું ભાગ્ય 28 જુલાઈએ સૂર્યની જેમ ચમકશે, વાંચો મેષથી મીન રાશિની સ્થિતિ

Karnavati 24 News

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મેષ 27 જાન્યુઆરી: વ્યવસાયની દ્રષ્ટિએ આ સમય સારો છે, કાર્યક્ષેત્રમાં સખત મહેનતનું યોગ્ય પરિણામ મળશે.

Karnavati 24 News

1લી માર્ચે મહાશિવરાત્રિ, આ દિવસે ભુલથી પણ શિવજીને આ વસ્તુ ન ચડાવતા…

Karnavati 24 News

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મેષ 25 જાન્યુઆરી: વીમા અને કમિશન સંબંધિત કાર્યોમાં અણધાર્યો લાભ મળી શકે છે, તમારી કોઈપણ ઈચ્છા આજે પૂરી થશે.

Karnavati 24 News

આજે જન્માક્ષર: દૈનિક રાશિફળ, મેષ 28 જાન્યુઆરી: આ સમયે માર્કેટિંગ અને પ્રમોશન પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે, વ્યવસાયિક રોકાણ માટે પણ યોગ્ય છે.

Karnavati 24 News

તુલા રાશિવાળા લોકો જ્યારે મનથી હારી જાય છે, ત્યારે તેને આ 2 વાત જરૂરથી યાદ રાખવી..

Karnavati 24 News