Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
જન્માક્ષર

વસંત પંચમીની ધૂમધામથી ઉજવણી દાહોદ થશે

ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ શાસ્ત્ર મુજબ અખાત્રીજ અને વસંત પંચમીનું વિશેષ મહત્ત્વ છે. આજે વસંતપંચમીના રોજ સમગ્ર દાહોદ જિલ્લામાં લગ્નો, ગૃહપ્રવેશ, ખાતમુહૂર્ત તેમજ વેવિશાળ જેવા કેટલાંયે શુભ પ્રસંગોના આયોજન કરવામાં આવ્યા છે. દાહોદમાં આ પર્વે ડબગર સમાજ દ્વારા રાધાકૃષ્ણ મંદીરમાં હવન અને યજ્ઞના કાર્યક્રમનું કરવામાં આવ્યું હતું વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્ર પહેરવાની પ્રથા છે. જો કે આજે શહેરોમાંથી તે લુપ્ત થઈ ગઈ છે. ગામડાઓમાં જરૂર તેનો થોડો પ્રભાવ જોવા મળે છે.હા પણ વસંત પંચમીના દિવસે ગાજરનો હલવો, કેસરિયા ભાત કે કેસરિયા ખીર ખાઈને આજે પણ વસંત પંચમીનો ઉલ્લસ ઉમંગ પ્રગટ થાય છે. પરિવારમાં પ્રસન્નતાનુ વાતાવરણ બને છે.આપણા દેશમાં વસંત ઋતુનુ પોતાનુ જ વિશેષ મહત્વ છે. તેથી વસંત ઋતુઓનો રાજા કહેવાય છે. તેમા પ્રકૃતિનુ સૌદર્ય બધી ઋતુઓથી ચઢિયાતુ હોય છે.વન ઉપવન જુદા જુદા ફુલોથી મહેંકી ઉઠે છે.ગુલમોહર,. ચંપા, સૂરજમુખી અને ગુલાબના ફુલોના સૌદર્યથી આકર્ષિત થઈને પતંગિયા અને ભમરાઓમાં મધુર રસપાનની જાણે કે હરીફાઈ લાગીજાય છે. તેની સુંદરતા જોઈને મનુષ્ય પણ ખુશીથી ઝૂમી ઉઠે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ તહેવાર ખૂબ જ આનંદદાયક હોય છે.આ તહેવારના દિવસે વિદ્યાલયોમાં સરસ્વતી પૂજા થાય છે અને શિક્ષક વિદ્યાર્થીઓ વિદ્યાનુ મહત્વ બતાવે છે અને પુર્ણ ઉલ્લાસ સાથે ભણવાની પ્રેરણા આપે છે.

संबंधित पोस्ट

Vastu Tips : ખોટી દિશામાં ટીવી મુકવાથી થાય છે ધનનું નુકસાન, જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

Admin

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, વૃષભ 01 જાન્યુઆરી: બાળકોના શિક્ષણ અને કારકિર્દી સંબંધિત કામમાં ઘણો ખર્ચ થશે, ધાર્મિક રહેશે

Karnavati 24 News

બે દિવસના ઉપવાસ: 24મીએ યોગિની એકાદશી અને 25મી જૂને અષાઢ દ્વાદશી ઉપવાસ, બંને દિવસો ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરે છે.

Karnavati 24 News

આજે જન્માક્ષર: દૈનિક રાશિફળ, મિથુન 31 જાન્યુઆરી: વ્યવસાયમાં વસ્તુઓ સારી રહેશે, પરંતુ જોખમી પ્રવૃત્તિમાં વધુ રોકાણ ન કરો

Karnavati 24 News

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મિથુન 24 ડિસેમ્બર: પરિવાર અને સંબંધીઓ માટે પણ થોડો સમય કાઢવો જરૂરી છે, સંબંધોમાં ખટાશ ન આવવા દો.

Karnavati 24 News

દિવના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી

Karnavati 24 News
Translate »