Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

Ind vs WI: ધવન કોરોના પોઝિટિવ, લોકેશ રાહુલ નહી રમે પ્રથમ વન ડે, રોહિત શર્મા સાથે કોણ કરશે ઓપનિંગ?

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાનાર વન ડે શ્રેણી પહેલા ટીમ ઇન્ડિયા પર કોરોનાની માર જોવા મળી રહી છે. ટીમ ઇન્ડિયાના ચાર ખેલાડી કોરોના પોઝિટિવ થયા છે. બુધવારે 4 ખેલાડી સહિત 8 ખેલાડી કોરોના પોઝિટિવ થયા છે. પસંદગીકારોએ ઓપનર મયંક અગ્રવાલના વન ડે શ્રેણી માટે ટીમ સાથે જોડાવાની જાહેરાત કરી હતી.ભારત વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ 6 ફેબ્રુઆરીથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રણ મેચની શ્રેણીની પ્રથમ મેચ રમશે. ત્રણેય વન ડે મેચ આ મેદાનમાં જ રમાશે. સોમવારે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ અમદાવાદ પહોચી હતી. બુધવારે ઓપનર શિખર ધવનના કોરોના સંક્રમિત થવાની જાણકારી બીસીસીઆઇએ આપી હતી. મયંક અગ્રવાલને ટીમમાં જોડવામાં આવ્યો છે. કેપ્ટન રોહિત શર્મા સાથે તે ઇનિંગ્સની શરૂઆત કરશે.મયંક અગ્રવાલ કરશે કેપ્ટન રોહિત શર્મા સાથે ઇનિંગ્સની શરૂઆતટીમના નિયમિત ઓપનર શિખર ધવન કોરોના સંક્રમિત થઇ ગયો છે અને બીજા ઓપનર કેએલ રાહુલ અંગત કારણને કારણે વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ પ્રથમ વન ડેનો ભાગ નહી હોય. ટીમનો એક અન્ય ઓપનર રિતુરાજ ગાયકવાડ પણ પોઝિટિવ છે. મયંક અગ્રવાલને બીસીસીઆઇએ વન ડે શ્રેણી માટે ટીમ સાથે જોડવાની જાહેરાત કરી હતી. એવામાં સંકેત સ્પષ્ટ છે કે તે કેપ્ટન રોહિત શર્મા સાથે મળીને વિન્ડીઝ ટીમ વિરૂદ્ધ ઇનિંગ્સની શરૂઆત કરશે.8 સભ્ય કોરોના સંક્રમિતબીસીસીઆઇ તરફથી જાહેર નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે ઓપનર શિખર ધવન અને સ્ટેન્ડ બાય બોલર નવદીપ સૈનીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. રિતુરાજ ગાયકવાડ પણ પોઝિટિવ છે. મિડલ ઓર્ડર બે્ટસમેન શ્રેયસ અય્યરનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય ફિલ્ડિંગ કોચ ટી દિલિપ, સુરક્ષા અધિકારી બી લોકેશ, મસાજ થેરેપિસ્ટ રાજીવ કુમાર પણ કોરોના સંક્રમિત થયા છે.

संबंधित पोस्ट

IND vs WI: શાર્દુલ ઠાકુરે પોતાને બતાવ્યો અસલી ઓલરાઉન્ડર, હાર્દિક પંડ્યા વિશે પણ આપ્યું મોટું નિવેદન

Karnavati 24 News

IPL 2022: પંજાબ કિંગ્સ શિખર ધવન નહી આ સ્ટાર બેટ્સમેનને બનાવશે કેપ્ટન, જેને ટીમે 12 કરોડમાં રિટેન કર્યો હતો

Karnavati 24 News

એશિયા કપ માટે પસંદ ના થયા આ ત્રણ ખેલાડી, ટી-20 વર્લ્ડકપ રમવા પર ઉભા થયા સવાલ

Karnavati 24 News

ICC Test Championship Points Table: ટેસ્ટ ચેમ્પિયનશીપ ટેબલમાં પાંચમા સ્થાન પર પહોંચ્યુ ભારત, શ્રીલંકાએ લગાવી છલાંગ

Karnavati 24 News

સુરતમાં ચેસ ઓલમ્પિયાડ મસાલના આગમન સાથે શતરંજમા એક વિશ્વ વિક્રમ બન્યો

Karnavati 24 News

ભરૂચ એમિટી સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા યોજાઇ સ્પર્ધા માં 150થી વધુ સ્પર્ધકો એ ભાગ લીધો

Karnavati 24 News
Translate »