Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

વાપીની BNB સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીને બે ગોલ્ડ મેડલ મેળવ્યા

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પુરાણી સ્વામી કેશવચરણદાસજી અને પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલજીવનદાસજીના આશીર્વાદ તેમજ કોલેજના આચાર્ય અને સ્ટાફના માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની મહેનતને કારણે સતત ચાર વર્ષથી એમ. ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં ગોલ્ડ મેડલ મેળવી આગળ વધી રહ્યા છે.

ત્યારે વધુ એક વિદ્યાર્થીનીએ સંસ્થાનું નામ રોશન કર્યું છે. શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની એમ. ફાર્મની ફાર્માસ્યુટિકસ શાખાની વિદ્યાર્થીની સિંગ ગરિમા શિવપાલ સમગ્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં ફાર્માસ્યુટિકસ શાખામાં અગ્ર સ્થાને રહ્યા બદલ બે ગોલ્ડ મેડલ મેળવવા હકદાર બની છે. જે બદલ વિદ્યાર્થીનીને ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટીના અગિયારમા વાર્ષિક પદવી સમારંભમાં બે ગોલ્ડ મેડલ આપવામાં આવશે. ગરિમાએ ગાઈડ એસોસિયેટ પ્રોફેસર ડૉ. કાન્તિલાલ નારખેડે અને એમ. ફાર્મના હેડ ડૉ. શૈલેષ વી. લુહારના માર્ગદર્શન હેઠળ બે ગોલ્ડ મેડલ મેળવવા બદલ પોતાના માતાપિતા તેમજ સમગ્ર ગુજરાતમાં કોલેજનું નામ રોશન કર્યું છે.

આવી ઝળહળતી સિદ્ધિ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામી, સંસ્થાના ટ્રસ્ટી બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, એકેડેમિક ડીરેક્ટર અને એમ. ફાર્મના હેડ ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ ડીરેક્ટર હિતેન બી. ઉપાધ્યાય, આચાર્ય ડૉ. સચિન બી. નારખેડે, અને તમામ સ્ટાફે વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવી આશીર્વચનઓ આપ્યા હતાં.

संबंधित पोस्ट

છેલ્લા ચાર વર્ષમાં ગેરી દ્વારા ૬.૧૪ લાખથી વધુ નમૂનાઓનું કરાયું સફળ પરીક્ષણ: જળ સંપત્તિ  અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા

Gujarat Desk

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના: 76 લાખથી વધુ અન્ન સલામતી કાયદા હેઠળના કુટુંબોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડી રહી છે ગુજરાત સરકાર

Gujarat Desk

સફેદ રણ ખાતે સંગીત, સાહિત્ય અને સંસ્કૃતિના સંગમ સમો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળતા રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુજી

Gujarat Desk

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરતી યુવતીનો આપઘાત કરી લેતા ચકચાર મચવા પામી

Gujarat Desk

અમદાવાદના નરોડામાં સંતોષી માતા મંદિરના મહંતનો આપઘાત; સુસાઇડ નોટ મળી આવી

Gujarat Desk

વાપીમાં જાન્યુઆરી 2020માં રાઇટરસેફ ગાર્ડના કર્મચારીનું અપહરણ કરી 16 લાખની લુંટના ગુનામાં ચાર SOG/LCB એ GRD જવાન સહિત 4 આરોપીઓને પકડી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો

Karnavati 24 News
Translate »