Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમદાવાદના નરોડામાં સંતોષી માતા મંદિરના મહંતનો આપઘાત; સુસાઇડ નોટ મળી આવી



(જી.એન.એસ) તા. 16

અમદાવાદ,

શહેરના નરોડા વિસ્તારમાં આવેલ સંતોષી માતા મંદિરના પરિસરમાં જ મહંતના આપઘાતથી આખા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી, તેમજ મંદિરને તોડી પાડવા દબાણ કરાતું હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે. તંત્રના દબાણથી કંટાળીને આપઘાત કર્યાનો આરોપ પરિવારજનો કરી રહ્યો છે. ડેમાં આપઘાત પહેલા મહંતે લખેલી સુસાઇડ નોટ મળી આવી છે.

મહંતની સુસાઇડ નોટ માં મંદિર બચાવવાની લડાઈ અધૂરી રહ્યાંનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહંતના આપઘાત અંગે તેમના પુત્ર બ્રિજેશનો દાવો છે કે બિલ્ડર, કોર્પોરેશન અને પોલીસ હેરાન કરી રહ્યાં હતા. તેમજ આ સપ્તાહમાં મંદિર તોડવાની ચીમકી આપ્યાનો દાવો પણ કરાયો છે. છેલ્લા 4-5 વર્ષથી હેરાનગતિ કરાતી હોવાનો આરોપ છે. જેમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં કુબેરનગર રોડ પર આવેલા સંતોષી માતાના મંદિરના મહંત મહેન્દ્રભાઈએ 16 માર્ચ, 2025 ને રવિવારના રોજ વહેલી સવારે મંદિરમાં જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.  

આ મામલે મહંતના દીકરાએ આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશન, પોલીસ(સરદારનગર પોલીસ) અને બિલ્ડર દ્વારા મંદિર તોડી પાડવાને લઈને કરવામાં આવતાં દબાણને કારણે આપઘાત કર્યો છે. તો બીજી તરફ AMCએ મંદિર તોડવાની કોઈ નોટિસ ન આપી હોવાનો ખુલાસો કર્યો છે.

संबंधित पोस्ट

જર્મની ના રાજદૂતે અલંગ સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડ ની મુલાકાત લીધી

Karnavati 24 News

સુરતના સરથાણામાં નિર્દયતાથી પત્ની-પુત્રની હત્યા કર્યા બાદ બે વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર સ્મિત જીયાણીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા

Gujarat Desk

આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલીયાને ઉમમેદવાર જાહેર કરવામાં આવ્યા

Gujarat Desk

બોટાદ જિલ્લાના લાઠીદડ ખાતે રૂ.૬.૬૦ કરોડના ખર્ચે સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનનું નિર્માણ કરાશે: આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk

ગુજરાત પાવર એન્જીનીયરીંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GPERI)દ્વારા રોડ સેફટી અવેરનેસ સેમિનારનું આયોજન

Gujarat Desk

 Omicron ને કારણે નેધરલેન્ડમાં લૉકડાઉન, ભારતમાં 269થી વધારે કેસ

Karnavati 24 News
Translate »