કેશોદના સરોવર ગામે સ્વ દેવજીભાઈ વીરાભાઇ સોલંકીના સ્મરણાર્થે પુત્રો દ્વારા પ્રવેશ દ્વારનું નિર્માણ કરાયું હતું જેમનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો અને અમદાવાદના ત્રિલોકભાઈ પરીખના હસ્તે ખુલ્લો મુકાયો હતો આ કાર્યક્રમ સમયે શિક્ષણ અને આરોગ્યને ધ્યાને રાખી જરૂરિયાત મંદ લોકોને દાન કરી શકાય એ માટે ડીવીએસ એજ્યુકેશન સંસ્થા શરૂ કરવાનો પણ નિર્ણય કરાયો હતો તેમ જ સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં હેમંતભાઈ ચૌહાણ ગોવિંદભાઈ વાણવી રતિલાલ બારોટ સહિતના સંતવાણી રજૂ કરી હતી અને સોલંકી પરિવાર સાધુ સંતો ગ્રામજનો હાજર રહ્યા હતા અને કલાકારો પર રૂપિયાની ઘોર કરી હતી સ્વ દેવજીભાઈ ના પુત્ર અશ્વિનભાઈ અને પ્રવીણભાઈએ કહ્યું હતું કે આ ગામ મારા પિતાની જન્મભૂમિ અને કર્મભૂમિ હોય એક દિવસ અમારી પાસે ભણવાની ફી ના પૈસા પણ નહોતા આજે આર્થિક સ્થિતિ સારી હોય ગ્રામનો ઋણ અદા કરવા પ્રવેશ દ્વાર બનાવ્યો છે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચંદુભાઈ ધાંધલ દિલીપભાઈ મેવાડા દ્વારા કરાયું હતું. tvs એજ્યુકેશન સંસ્થાને લઈ ત્રિલોકભાઇ દ્વારા પાંચ લાખના અનુદાનની જાહેરાત કરાઈ હતી