Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

 રાજ્યમાં કોવિડ પૂર્વે જ નર્સોની તંગી

એક તરફ ગુજરાતમાં કોવિડના કેસો વધી રહ્યા છે તે સમયે રાજ્ય સરકારની સમીક્ષામાં જણાવાયું છે કે રાજ્યમાં નર્સિંગ સ્ટાફ અને પેરા મેડીકલ સ્ટાફ તરીકે ઓળખાતા કર્મચારીઓમાં 53 ટકાની ઘટ છે અને હવે તે કેમ પૂરી કરવી તે અંગે ચિંતા કરાશે. નીતિ આયોગ સાથેની બેઠકમાં કોરોનાના મુકાબલા માટે જે જે તૈયારીઓ છે તેમાં આ વાત બહાર આવી હતી. જેમાં જાહેર આરોગ્ય કેન્દ્રો જે પીએચસી સહિતના નામે ઓળખાય છે તેમાં પેરામેડીકલ સ્ટાફની 53 ટકા તંગી છે જ્યારે જિલ્લા હોસ્પિટલોમાં સ્પેશ્યાલીસ્ટ તબીબોમાં 37 ટકાની તંગી છે. રાજ્યમાં જે બાળકો જન્મે છે તે તમામ નોંધાતા નથી અને 87.3 ટકા જ જન્મ નોંધાય છે જો કે મૃત્યુમાં 100 ટકા નોંધણી થાય છે તેવો રાજ્ય સરકારનો દાવો છે. રાજ્ય સરકાર તેના કુલ બજેટના 7.24 ટકા આરોગ્ય પાછળ ખર્ચે છે.

संबंधित पोस्ट

સીબીઆઇ કોર્ટે યુઆઇઆઇસીએલ, અમદાવાદ સ્થિત તત્કાલીન ડિવિઝનલ મેનેજર સહિત પાંચ આરોપીઓને કુલ રૂ. 5.91 કરોડનો દંડ અને 5 વર્ષની સજા ફટકારી

Gujarat Desk

અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું

Gujarat Desk

UNWTO દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ એવોર્ડથી સન્માનિત ધોરડો ખાતે યોજાઈ ભારતની સૌથી પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ BOBMC રાઇડર મેનિયા 2025

Gujarat Desk

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

Karnavati 24 News

“નમો સખી સંગમ મેળા” માં બીજા દિવસે મોટીવેશનલ સ્પીકર જય વસાવડા અને નેહલબેન ગઢવીનો સેમિનાર યોજાયો

Gujarat Desk

બાબા દરબાર પહોંચ્યા ત્રણ શંકાસ્પદો પોલીસ કસ્ટડીમાં, સુરક્ષા એજન્સીઓ પૂછપરછમાં લાગી

Admin
Translate »