Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 ઓમિક્રૉનના કેસ વધવાની સાથે સારા સમાચાર, દેશને 2 નવી વેક્સીન મળી

ઓમિક્રૉનના વધતા ખતરા વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની 2 નવી વેક્સીન અને એક એન્ટી વાયરલ ડ્રગ્સના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ નિર્ણય પર દેશને શુભેચ્છા પાઠવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બે વેક્સીન કોર્બેવેક્સ, કોવોવેક્સ અને એન્ટી-વાયરલ ડ્રગ મોલનુપિરાવિરના ઇમરજન્સી યૂઝને મંજૂરી આપી છે.

દેશમાં ઓમિક્રૉનનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યુ છે. એક દિવસમાં સૌથી વધુ 135 કેસ દર્જ થયા છે, જેનાથી કુલ દર્દીની સંખ્યા વધીને 670 થઇ ગઇ છે. સોમવારે ગોવા અને મણિપુરમાં પણ ઓમિક્રૉને દસ્તક આપી હતી. બન્ને રાજ્યોમાં કાલે એક એક દર્દી મળ્યા હતા. ઓમિક્રૉનના અત્યાર સુધી 20 રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેલાઇ ગયુ છે.

દિલ્હીમાં ગત દિવસે ઓમિક્રૉનના રેકોર્ડ 63 કેસ દર્જ થયા છે. આ સિવાય મહારાષ્ટ્રમાં 26, ગુજરાતમાં 24, તેલંગાણામાં 12, રાજસ્થાનમાં 3, ઉત્તરાખંડમાં 3 અને હરિયાણામાં 2 નવા કેસ દર્જ થયા છે.

संबंधित पोस्ट

 જામનગર બાર એસોસિએશનના આઠમી વાર પ્રમુખ બનતા સુવા

Karnavati 24 News

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (National Congress party) ના 24 વર્ષ નિમિતે મુંબઈ ખાતે ઉજવણી કરવામાં આવી

Karnavati 24 News

શાહબાઝ શરીફ સરકાર માટે મોટી મુશ્કેલી, રાષ્ટ્રપતિએ ફરી એક વખત ખખડાવ્યા

Karnavati 24 News

નરેન્દ્ર મોદીએ ભરુચ વાસીઓને કહ્યું, મારું એક કામ છે જે પર્સનલ છે તમે કરશો, આવું કેમ કહ્યું?

Admin

182 સીટના ઉમેદવારનું લિસ્ટ 2022

Admin

PM મોદીએ સાયન્સ સિટી અમદાવાદમાં આયોજિત કેન્દ્ર-રાજ્ય વિજ્ઞાન પરિષદનું ઉદ્ઘાટન કર્યું

Karnavati 24 News
Translate »