Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

કોંગ્રેસે એક એવો શહેર પ્રમુખ બનાવ્યો, જેનો એક દીકરો સપામાં છે અને બીજો ભાજપમાં: આલોક મિશ્રા



ઉત્તર પ્રદેશના કોંગ્રેસ નેતા આલોક મિશ્રાએ સંગઠનમાં નિયુક્તિ પર સવાલ ઊભા કર્યા

(જી.એન.એસ) તા. 9

અમદાવાદ,

ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં AICC સભ્યોએ જાહેર મંચ પર પાર્ટીની ખામીઓ પર વાત કરી અને પોતાનો પક્ષ મૂક્યો હતો ત્યારે ઉત્તર પ્રદેશના કોંગ્રેસ નેતા આલોક મિશ્રાએ સંગઠનમાં નિયુક્તિ પર સવાલ ઊભા કર્યા હતા. તેમણે કહ્યું કે, પાર્ટીએ એક એવો પણ શહેર પ્રમુખ બનાવ્યો, જેનો એક દીકરો સપા માં છે અને બીજો ભાજપમાં કામ કરે છે. જેમાના ભાષણ બાદ પાર્ટી હાઇકમાન્ડે પણ તાળીઓથી તેમની વાતને વધાવી હતી. 

ઉત્તર પ્રદેશના કોંગ્રેસ નેતા આલોક મિશ્રાએ મંચ પરથી પોતાના ભાષણમાં કહ્યું હતું કે, ‘એક કાર્યકર્તા જે 1982થી કોંગ્રેસમાં છે તે આજે કોંગ્રેસને અપીલ કરે છે, આપણે ભાજપ સાથે પછી લડીએ છીએ, પહેલાં કોંગ્રેસી અંદરોઅંદર લડે છે. એકવાર નક્કી કરી લો કે, કોઈપણ નિર્ણય જે ઉપરથી નક્કી થશે, તેને આપણે સહર્ષ સ્વીકારીશું. ત્યાં સુધી એકબીજા સાથે નહીં લડીએ, જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીને સત્તામાં ન લાવી દઈએ. આપણે પાર્ટીને સત્તામાં લાવીને જ જંપીશું. 

વધુમાં તેમણે કહ્યું હતું કે, રાહુલજી અને ખડગેજી, હું તમને કહેવા આવ્યો છું કે, તમારે ભાજપને દૂર કરવી હોય અને કોંગ્રેસની અંદર જે ભાજપના લોકો છે, તેને દૂર કરવા હોય તો હું તમને પૂછવા ઈચ્છું છે કે, જો કોઈ શહેર અધ્યક્ષ છે, જેનો એક દીકરો સપામાં હોય અને બીજો ભાજપમાં… શું તે પ્રમુખ બનવા લાયક છે? જો તે શહેર પ્રમુખ બનવા લાયક છે તો અમે પણ તેનો સ્વીકાર કરીએ છીએ. 

યુપીના કોંગ્રસ નેતા આલોક મિશ્રાએ જણાવ્યું હતું કે, જે લોકોએ 1982માં મારી જેમ કોંગ્રેસ નથી છોડી, હું તમને વચન આપું છું કે, હું મારૂ સર્વસ્વ ન્યોછાવર કરવા ઈચ્છુ છું, તમારા માટે અને કોંગ્રેસ પાર્ટીની સત્તા માટે બધું છોડવા ઈચ્છું છું. કોઈ પ્રકારે કોંગ્રેસ સત્તામાં આવી જાય, જ્યારે સત્તા હાથમાં આવશે તો આપણે નિર્ણય લઈશું. આલોક મિશ્રાના સંબોધન દરમિયાન ખુદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી તાળી વગાડતા જોવા મળ્યા હતાં. 

જણાવી દઈએ કે, 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે આલોક મિશ્રાને કાનપુર લોકસભા બેઠકથી ટિકિટ આપી હતી. તે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હતાં. સપા અને કોંગ્રેસના સહયોગી સાથે મિશ્રા 4,22,087 મત સાથે બીજા નંબરે આવ્યા હતાં. ભાજપના રમેશ અવસ્થીને 443055 મત મળ્યા હતાં અને તેમણે 20,968 મત સાથે ચૂંટણી જીતી હતી.

संबंधित पोस्ट

મહાશિવરાત્રી પર, તમારા ઘરે સ્પીડ પોસ્ટ દ્વારા પ્રાપ્ત કરો શ્રી સોમનાથ, શ્રી કાશી વિશ્વનાથ અને શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો પ્રસાદ : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

Gujarat Desk

અમદાવાદમાં પાન મસાલા અને તમાકુના 8 વેપારીઓના 20 અલગ અલગ સ્થળ પર જીએસટી વિભાગના દરોડા 

Gujarat Desk

જૂનાગઢમાં ગોડાઉન પર દરોડો પાડી પોલીસે 10.11 લાખનો દારૂ કબજે કર્યો

Gujarat Desk

૫૧ શક્તિપીઠના “હ્યદય” અંબાજીના વિશ્વસ્તરીય ડેવલપમેન્ટ માટે સરકારનો અડગ નિર્ધાર છે:- મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk

સુરત ખાતે ‘શ્રી હનુમાન ચાલીસા યુવા કથા’માં સહભાગી થતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી : હરિપ્રકાશદાસજી સ્વામીના શ્રીમુખેથી કષ્ટભંજન દાદાના દિવ્ય ચરિત્રોરૂપી કથામૃતનું શ્રવણ કર્યું

Gujarat Desk

મહિલા સશકિતકરણ માટે સચિવાલય તાલીમ કેંદ્ર (સ્પીપા) ગાંધીનગરની નવીન પહેલ

Gujarat Desk
Translate »