Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમદાવાદમાં જીવરાજ પાર્ક પાસે આગની ઘટનામાં 1 વ્યક્તિનું મોત



(જી.એન.એસ) તા. 6

અમદાવાદ,

અમદાવાદના વાસણા ખાતે આગની ભીષણ ઘટના સામે આવી છે. વાસણાના જીવરાજ મહેતા પાર્ક નજીક આગની આ ઘટના બની છે. જેમાં રહેણાંક મકાનમાં આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક તપાસમાં એસીમાં ભરવાના ગેસના બાટલા ઘરમાં રાખવામાં આવતા હોવાનું બહાર આલવ્યું છે.

રહેણાંક મકાનમાં લાગેલી આગ જોતજોતામાં આજુબાજુમાં પણ પ્રસરી ગઈ હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર કર્મચારીઓ વોટર ટેન્કર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.

ધારાસભ્ય અમિત ઠાકરને આ બાબતની જાણ થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ ઘરમાં ઘટના સમયે 5 લોકો હાજર હોવાની આશંકા છે. તેમજ ફાયર વિભાગનાં અધિકારીઓએ આગ લાગવા બાબતે તપાસ શરૂકરી છે. તેમજ આગ વધુ ફેલાતા આજુબાજુમાં પાર્ક કરેલ વાહનો બળીને ખાક થઈ ગયા હતા.

બીજી તરફ પોલીસનો પણ મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ લાગ્યાના સ્થળથી ભીડને દૂર ખસેડી હતી. તેમજ કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે તકેદારીના પગલા લેવામાં આવ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગ લાગવાની ઘટનામાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જેમાં એક નું મોત નીપજ્યું છે. તેમજ પોલીસનાં ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

પાટણમાં ‘વિશ્વાસ થી વિકાસયાત્રા’ ઝૂંબેશ અંતર્ગત પ્રભારીમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે 89.86 કરોડના 74 કામોનું થયું લોકાર્પણ/ખાતમુહૂર્ત

Admin

COVID-19 : ઈસનપુર પોલીસ સ્ટેશન દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમ

Karnavati 24 News

ખેડા પાસે ગેરેજની પાછળથી અનધિકૃત રીતે ગેસ રી-ફિલિંગનું કૌભાંડ ઝડપાયું, પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી

Gujarat Desk

 સુરતના ગોદાવાડી ગામે પ્રગતિશીલ યુવા ખેડૂતોએ અપનાવી મલ્ટીલેયર ફાર્મિંગ પદ્ધતિ, બે એકર જમીનમાં 10 પાક ઉગાડી 10 લાખની આવક ઊભી કરી

Karnavati 24 News

પાટણ જીલ્લાના રાધનપુરના મર્ડરના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી પેરોલ ફલો સ્કવોડ – પાટણ

Admin

 ઓમિક્રૉનના કેસ વધતા 12 રાજ્યમાં ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટી પર રોક

Karnavati 24 News
Translate »