Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગુજરાતવાસીઓને UCC અંગે સૂચનો મોકલવાની સમયમર્યાદા લંબાવાઇ: તા. ૧૫ એપ્રિલ, ૨૦૨૫ સુધી સૂચનો મોકલી શકાશે



(જી.એન.એસ) તા. 19

ગાંધીનગર,

સમાન સિવિલ કોડ સમિતિના અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ ગુજરાતવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા અપીલ કરી છે. સૂચનો-મંતવ્યો મોકલવાની આખરી તા. ૨૪/૦૩/૨૦૨૫ હતી, જે હવે તા. ૧૫/૦૪/૨૦૨૫ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓની વ્યક્તિગત દિવાની બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમિક્ષા કરાશે. આ મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે.

આ મહત્વપૂર્ણ વિષય પર અસર કરતા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે સમિતિએ ગુજરાતના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓને તા.૧૫/૦૪/૨૦૨૫ના રોજ અથવા તે પહેલાં તેમના મંતવ્યો, સૂચનો અને રજૂઆતો વેબપોર્ટલ https://uccgujarat.in/  પર અથવા  ઈ-મેઈલ ucc@gujarat.gov.in મારફત અથવા  બ્લોક નં.૧, એ-વીંગ, છઠ્ઠો માળ, કર્મયોગી ભવન, સેકટર-૧૦-એ, ગાંધીનગર ખાતે ટપાલ મારફત રજૂ કરવા અપીલ કરી છે.

संबंधित पोस्ट

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તથા કલેકટરશ્રી  ગાંધીનગર   મેહુલ કે. દવે દ્વારા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી  સંદર્ભે ગાંધીનગરના સેક્ટર 15 ની આર્ટસ  કોલેજ ખાતે ઇવીએમ કમિશનિંગની કામગીરીની પ્રત્યક્ષ મુલાકાત લઈ  તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી

Gujarat Desk

ભાવનગર રેલવે ડિવિઝનની કિડ્સ હટ સ્કૂલ ખાતે ૨મત ગમત સ્પર્ધા

Admin

એકતા નગર ખાતે અંદાજીત રૂ. ૫૦ કરોડના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર નિર્માણ પામશે – મંત્રીશ્રીઋષિકેશ પટેલ

Gujarat Desk

મનરેગા યોજના હેઠળ જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ ૭.૪૬ લાખથી વધુ માનવદિન રોજગારી ઉભી થઈ: ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ

Gujarat Desk

સુરત મનપાએ વેરા વસૂલાત કરવા ઝુંબેશ હાથ ધરી, એક જ દિવસમાં 78.90 લાખ વસૂલ્યા

Gujarat Desk

ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો, ચોમાસાની સિઝન પુરી થતા ચક્રવાતની આફત રાહ જોઈ રહી છે

Karnavati 24 News
Translate »