Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગુજરાત અને મોરેશિયસ: એક ઐતિહાસિક સંબંધ



(જી.એન.એસ) તા. 13

જ્યારે ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્ર મોદી મોરેશિયસ ગયા, ત્યારે ગુજરાત અને મોરેશિયસ વચ્ચેના ઘણા રસપ્રદ જોડાણો જાણવા મળ્યા.

મોરેશિયસના વડાપ્રધાન શ્રી નવીન રામગુલામે એક ઘટનાનું વર્ણન કર્યું, જેમાં તેમણે જણાવ્યું કે મોરેશિયસના ઘડવૈયા ગણાતા અને પ્રથમ વડાપ્રધાન સર સીવુસાગુર રામગુલામે એક વખત ઉલ્લેખ કર્યો હતો કે વિઠ્ઠલભાઈ પટેલ તેમના માર્ગદર્શક હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સભાના પ્રથમ અધ્યક્ષ સર હરિલાલ વાઘજી ગુજરાતી મૂળના હતા.

ઓક્ટોબર 1901માં મહાત્મા ગાંધીજીએ ડરબનથી મુંબઈ જતી વખતે મોરેશિયસની મુલાકાત લીધી હતી અને ઘણા દિવસો સુધી ત્યાં રહ્યા હતા.

ગાંધીજીની સલાહ પર, મણિલાલ મગનલાલ ડૉક્ટર મોરેશિયસ ગયા હતા અને તેમની સ્વતંત્રતા ચળવળને સમર્થન આપવા માટે ત્યાં ઘણો સમય વીતાવ્યો હતો.

મોરેશિયસમાં સમુદાયને સંબોધિત કરતાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એવું પણ જણાવ્યું હતું કે, મોરેશિયસ ભારતના પશ્ચિમી પ્રદેશોમાં ખાંડનો સપ્લાય કરે છે, કદાચ એ જ કારણ છે કે ગુજરાતીમાં તેને ‘મોરાસ’ કહેવામાં આવે છે.

संबंधित पोस्ट

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે ગઢડા પાસે દરોડો કરી પાંચચરખી કાર્બોસેલ સહિત લાખોનો મુદામાલ ઝડપી કાર્યવાહી હાથ

Admin

ઘઉંના ઊભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે વાવણી બાદ લેવાના પગલાં

Gujarat Desk

સુરતમાં પુણા ગામમાં સર્જાઈ દુર્ઘટના, ગેસનો બાટલો ફાટતાં 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Gujarat Desk

ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક વિધાનસભા ખાતે સર્વાનુમતે પસાર, જાણો શું છે આ વિધેયક

Karnavati 24 News

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગાંધીનગરના સહયોગથી ૭૬માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મહિલાઓ માટે જરૂરી પ્રાથમિક ટેસ્ટ નિઃશુલ્ક કરાવવાનું આયોજન

Gujarat Desk

 ઓમિક્રૉનના કેસ વધતા 12 રાજ્યમાં ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટી પર રોક

Karnavati 24 News
Translate »