Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે ગઢડા પાસે દરોડો કરી પાંચચરખી કાર્બોસેલ સહિત લાખોનો મુદામાલ ઝડપી કાર્યવાહી હાથ

મૂળી તાલુકાનાં ગઢડા અને પંપાળીયા આસપાસનાં ગામોમાં કાર્બોસેલ અને ફાયરક્લે વિપુલ પ્રમાણમાં મળી આવે છે. આ ખનીજને કોઇપણ જાતની પરવાનગી વગર સ્થાનિક તંત્રની મીલી ભગતથી ખુલ્લેઆમ વહન કરવામાં આવી રહયું છે.જયારે નિચેથી ઉપરનાં લેવલે મોટા પાયે લ્હાણી થતી હોવાથી ગૌચરની જમીનમાં ઠેરઠેર ખાડાઓ કરી દેવામાં આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા હતા. ત્યારે ખાણ ખનીજ વિભાગે ગઢડા પાસે દરોડો કરી પાંચચરખી કાર્બોસેલ સહિત લાખોનો મુદામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ છે.

….મૂળી પંથકનાં પેટાળમાં ખુબજ માત્રામાં ખનીજ ધરબાયેલુ છે. જેમાં કાર્બોસેલ, ફાયરક્લે, રેતી, માટી, સહિતનો સમાવેશ થાય છે. આ ખનીજ મેળવવા ખાણખનીજ વિભાગ પાસે મંજુરી લેવાની હોય છે.જેમાં અમુક હીસ્સો સરકારી દફતરે જમાં કરાવવો પડે છે.પરંતુ મૂળી તાલુકામાં જાણે રામ રાજને પ્રજા સુખી હોય તેમ લાગી રહયું છે. કારણકે મૂળી તાલુકાનાં ગઢડા અને પંપાળીયા ગામ આસપાસમાં વિપુલ પ્રમાણમાં કાર્બો અને ફાયરલે મળી આવે છે. આ ગામોમાં બેફામ રીતે કોઇપણ જાતની પરવાનગી વગર ખનીજનું ખોદકામ અને વહન થઇ રહયું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.
જ્યારે આ ખોદકામ મુખ્યત્વે ગૌચર અને માલીકીની જમીનમાં જ કરાતુ હોવાથી પશુપાલકો પર તેની ભારે અસર પડી રહી છે. આ બાબતે ખાણખનીજનાં એન એમ કણઝરીયા સહિતનાંએ વહેલી સવારે ગઢડા આસપાસ તપાસ આરંભી હતી. જેમાં રાહુલભાઇ જેમાભાઇ,વેલાળાનાં સગ્રામભાઇ લાભુભાઇ ખાંભલા,વડધ્રાનાં જયસુખભાઈ, કળમાદનાં ખીમજીભાઇ લાલાભાઇ રોજીયા, દાધોળીયાનાં ભરતભાઇ જાંબુડીયાને અલગ અલગ જગ્યાએથી પાંચ ચરખી કાર્બોસેલસાથે ખનીજ ચોરી કરતા ઝડપી કાર્યવાહી હાથ ધરાતા ભુમાફિયાઓમાં ભાગદોડ સાથે ખનીજ વહનમાં બ્રેક લાગી જવા પામી છે.

संबंधित पोस्ट

રાજકોટનાં દૂધસાગર રોડ પરથી ઝડપાયો દારૂ ભરેલ વાહન: ૭ લાખથી વધુ કિંમતની દારૂની બોટલો કરી જપ્ત

Admin

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જાણો કેટલા કરોડનો થશે ખર્ચ, ગત વખતે કેટલો ખર્ચ કરાયો

Admin

સુરત: પાલ ઉમરા બ્રિજ પર સર્જાયો ભયાવહ અકસ્માત, બાઇકસવાર બે યુવક ડિવાઇડર સાથે અથડાઈ 3 ફૂટ હવામાં ફંગોળાયા, પછી 15 ફૂટ નીચે પટકાયા, એકનું મોતસુરત: પાલ ઉમરા બ્રિજ પર સર્જાયો ભયાવહ અકસ્માત, બાઇકસવાર બે યુવક ડિવાઇડર સાથે અથડાઈ 3 ફૂટ હવામાં ફંગોળાયા, પછી 15 ફૂટ નીચે પટકાયા, એકનું મોત

Karnavati 24 News

નરેન્દ્રભાઇ મોદીના પ્રવાસના બીજા દિવસે આજે વેરાવળ પછી ધોરાજી ખાતે વિશાળ જાહેરસભા યોજાઇ

Admin

પોરબંદરમાં ABVP દ્વારા સામાજિક સમરસતા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

Admin

તાલાલા પંથકનાં 4 ગામના લોકો દ્વારા મતદાન બહિષ્કાર કરાશે .

Admin
Translate »