Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે ગઢડા પાસે દરોડો કરી પાંચચરખી કાર્બોસેલ સહિત લાખોનો મુદામાલ ઝડપી કાર્યવાહી હાથ

મૂળી તાલુકાનાં ગઢડા અને પંપાળીયા આસપાસનાં ગામોમાં કાર્બોસેલ અને ફાયરક્લે વિપુલ પ્રમાણમાં મળી આવે છે. આ ખનીજને કોઇપણ જાતની પરવાનગી વગર સ્થાનિક તંત્રની મીલી ભગતથી ખુલ્લેઆમ વહન કરવામાં આવી રહયું છે.જયારે નિચેથી ઉપરનાં લેવલે મોટા પાયે લ્હાણી થતી હોવાથી ગૌચરની જમીનમાં ઠેરઠેર ખાડાઓ કરી દેવામાં આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા હતા. ત્યારે ખાણ ખનીજ વિભાગે ગઢડા પાસે દરોડો કરી પાંચચરખી કાર્બોસેલ સહિત લાખોનો મુદામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ છે.

….મૂળી પંથકનાં પેટાળમાં ખુબજ માત્રામાં ખનીજ ધરબાયેલુ છે. જેમાં કાર્બોસેલ, ફાયરક્લે, રેતી, માટી, સહિતનો સમાવેશ થાય છે. આ ખનીજ મેળવવા ખાણખનીજ વિભાગ પાસે મંજુરી લેવાની હોય છે.જેમાં અમુક હીસ્સો સરકારી દફતરે જમાં કરાવવો પડે છે.પરંતુ મૂળી તાલુકામાં જાણે રામ રાજને પ્રજા સુખી હોય તેમ લાગી રહયું છે. કારણકે મૂળી તાલુકાનાં ગઢડા અને પંપાળીયા ગામ આસપાસમાં વિપુલ પ્રમાણમાં કાર્બો અને ફાયરલે મળી આવે છે. આ ગામોમાં બેફામ રીતે કોઇપણ જાતની પરવાનગી વગર ખનીજનું ખોદકામ અને વહન થઇ રહયું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.
જ્યારે આ ખોદકામ મુખ્યત્વે ગૌચર અને માલીકીની જમીનમાં જ કરાતુ હોવાથી પશુપાલકો પર તેની ભારે અસર પડી રહી છે. આ બાબતે ખાણખનીજનાં એન એમ કણઝરીયા સહિતનાંએ વહેલી સવારે ગઢડા આસપાસ તપાસ આરંભી હતી. જેમાં રાહુલભાઇ જેમાભાઇ,વેલાળાનાં સગ્રામભાઇ લાભુભાઇ ખાંભલા,વડધ્રાનાં જયસુખભાઈ, કળમાદનાં ખીમજીભાઇ લાલાભાઇ રોજીયા, દાધોળીયાનાં ભરતભાઇ જાંબુડીયાને અલગ અલગ જગ્યાએથી પાંચ ચરખી કાર્બોસેલસાથે ખનીજ ચોરી કરતા ઝડપી કાર્યવાહી હાથ ધરાતા ભુમાફિયાઓમાં ભાગદોડ સાથે ખનીજ વહનમાં બ્રેક લાગી જવા પામી છે.

संबंधित पोस्ट

અમદાવાદ: બેવડી ઋતુના લીધે વાયરલ ઇન્ફેક્શનમાં ધરખમ વધારો! રાજ્યમાં કોરોનાના કેસ પણ 100ને પાર, જાણો ડોક્ટર્સે શું આપી સલાહ?

Karnavati 24 News

પાટણના સાયન્સ મ્યુઝિયમની દિવાળી તહેવારમાં 30 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી

Admin

નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદ અને પિરામલ ફાઉન્ડેશન દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ તથા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી।

Admin

રાજકોટના ડેપ્યુટી મેયર ડૉ. દર્શીતાબેન શાહે મહિલાઓને શું કરી અપીલ ?

Admin

1 ડીસેમ્બરે પીએમ મોદી પંચમહાલમાં જંગી સભાને સંબોધશે, ગત વખતે 2017માં થઈ હતી સભા

Admin

ભરૂચ શહેરમાં આજરોજ ગુજકેટ-૨૦૨૩ ની જાહેર પરીક્ષા કુલ ૧૯ પરીક્ષા કેન્દ્રો પર ૩૬૪૨ જેટલાં ઉમેદવારોએ પરીક્ષા આપી.

Admin