Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સાંસારિક જીવનમાંથી‌ સંન્યાસ લીધા પછી પણ રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ ન ચુકતા જુનાગઢથી માણસા ગાંધીનગર મતદાન કરવા પહોંચેલા તારા નાથજી


કેટલીક વાર ઘર આંગણે મત મથક હોવા છતાં ૧૦ ડગલા ચાલી મત આપવા જવા આળસ કરતા લોકો માટે પ્રેરણા રૂપ માણસાનો કિસ્સો.

(જી.એન.એસ) તા. 16

ગાંધીનગર,

માણસામાં તારા નાથજી તરીકે ઓળખાતા મહિલા સાંસારિક મોહ-માયા માંથી સંન્યાસ લઈ ચૂક્યા છે, અને જૂનાગઢમાં મહામંડલેશ્વર સ્નેહલ નંદગીરીજી તરીકે ઓળખાય છે. તેઓ જણાવે છે કે, સાંસારિક મોહ માયા ભલે ત્યજી હોય, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજ અને જવાબદારી તેમને હંમેશા યાદ રહે છે. દેશ માટેની આ જ ફરજો માંથી એક એટલે ‘મતદાનની ફરજ’ છે. આ ફરજ પૂર્ણ કરવા તારા નાથજી જુનાગઢથી પોતાના વતન માણસા આવ્યા છે. અને તેમણે મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની પોતાની નૈતિક ફરજ પૂર્ણ કરી છે. સાથે જ તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, “મારા એક મતની કિંમત શું છે! તે હું સમજુ છું. અને એક મતથી આપણો દેશ કેટલી વિપદાઓ થકી બચી શકે છે તે પણ હું સારી રીતે જાણું છું એટલે જ આજે ઉત્સાહપૂર્વક મેં મતદાન કર્યું છે.”

संबंधित पोस्ट

જ્ઞાનપ્રકાશ સ્વામી નંબર પ્લેટ વગરની કાળી સ્કોરપીઓ ગાડીમાં વીરપુર પહોંચ્યા; ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાછળના રસ્તે મંદિરમાં અંદર લઈ જવાયા

Gujarat Desk

નવસારીમાં ડ્રેનેજનો ખાળકૂવો બનાવતા બે મજૂરો ફસાયા

Gujarat Desk

એક જ દિવસે અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લાની ૦૭ પીડિતાઓને મળ્યો ન્યાય; પોક્સો કેસમાં મહત્વપૂર્ણ ચુકાદાઓ: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા

Gujarat Desk

અયોધ્યામાં વાતાવરણ ડહોળવાના ષડયંત્રનો મોટો ખુલાસો, CCTVના આધારે 7 આરોપીઓની ધરપકડ

Karnavati 24 News

બંદીવાન શિક્ષક દ્વારા બંદીવાન વિદ્યાર્થીઓને ભણાવી આપ્યું ૧૦૦% રીઝલ્ટ

Gujarat Desk

ખેલ મહાકુંભ 3.0 નો ગાંધીનગરમાં રાંધેજા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલથી પ્રારંભ કરાયો

Gujarat Desk
Translate »