Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૪૯ ઇ-વ્હિકલનું લોકાર્પણ


(જી.એન.એસ) તા. 25

તાપી,

૭૬ માં પ્રજાસત્તાક દિવસને લઈને સમગ્ર ભારતવર્ષ હાલ દેશભક્તિના રંગે રંગાયો છે, ગુજરાત રાજ્યમાં પણ ઠેર-ઠેર પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી થનાર છે, ત્યારે રાજ્યના મુખ્ય પ્રજાસત્તાક પર્વની ઉજવણી તાપી જિલ્લામાં થનાર છે. ૨૬ મી જાન્યુઆરીના રોજ થનારી પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને વિશેષ કાર્યક્રમો યોજાશે.

આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રૂ. ૨૪૦ કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ-ખાતમૂહુર્ત કરીને તાપી જિલ્લાના પ્રજાજનોની સુવિધા અને સુખાકારીમાં વધારો કરશે. નોંધનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કાર્યરત સ્વચ્છ ભારત મિશન યોજનામાં ઘન કચરા વ્યવસ્થાપન માટે ૪૯ જેટલા ઇ-વ્હિકલનું લોકાર્પણ કરશે.

ઉલ્લેખનીય છે કે, પર્યાવરણહિતેષી અભિગમ સાથે ઉચ્છલ તાલુકાના ૭ ગામો માટે ઇ-વ્હિકલ, સોનગઢ તાલુકાના ૧૨ ગામો, વ્યારા તાલુકા ૧૦ ઇ-વ્હિકલ, ડોલવણ તાલુકા ૫ ઇ-વ્હિકલ, નિઝર તાલુકા ૫, કુકરમુંડા તાલુકા ૪ અને વાલોડ તાલુકા માટે ૫ ઇ-વ્હિકલ મળી કુલ-૪૯ ઇ-વ્હિકલનું લોકાર્પણ મહાનુભાવોના હસ્તે કરાશે. આગામી સમયમાં તાપી જિલ્લામાં ઇ-રીક્ષા મારફત જ ઘન કચરા વ્યવસ્થાપન કરવામાં આવશે.

संबंधित पोस्ट

સુરતમાં બાળકીની છેડતી કરનાર નરાધમની પોલીસે ધરપકડ કરી

Gujarat Desk

ઝાલોદ તાલુકાના સાંપોઈ ગામે ફ્રી કોચિંગ ક્લાસ શરુ કરાયા

Karnavati 24 News

દાહોદમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહના સમર્થનમાં આવેદન પત્ર આપવામાં આવ્યુ

Karnavati 24 News

ગુજરાત ચૂંટણી પર પીએમ મોદીએ માન્યો કાર્યકર્તાઓનો આભાર, કહ્યા પાર્ટીની વાસ્તવિક તાકાત

Admin

દીવના પ્રશાસને કિલ્લામાં પર્યટકોને એન્ટ્રી આપવા માટે ચાર્જ વસૂલવાની શરૂઆત કરી

Gujarat Desk

આર.ટી.આઈનાં પવિત્ર કાયદાનો દુરૂપયોગ કરી નિર્દોષ પાસેથી રૂપિયા પડાવવાની થતી પ્રવૃત્તિઓ બિલકૂલ ચલાવી લેવાશે નહિ: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

Gujarat Desk
Translate »