Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સાવરકુંડલામાં ટ્રક ખાલી કરવા બાબતે બે જૂથ બાખડયા, ૪ ઘાયલ થયા



(જી.એન.એસ) તા.૧૦

અમરેલી,

સાવરકુંડલાના માર્કેટિંગ યાર્ડમાં ટ્રક ખાલી કરવા બાબતે વિધર્મીઓના બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ સમાધાન થઇ ગયું હોવા છતાં ૬ થી વધુ શખ્સોએે રહેણાંક મકાનમાં ઘુસી  તોડફોડ કરી બે મહિલા અને બે પુરૃષનેલોખંડના પાઈપ ,ટોમીધોકાઓ વતી માર માર્યો હતો.આ અંગે એક મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી હતી. સાવરકુંડલાના માર્કેટિંગ યાર્ડમાં ટ્રક ખાલી કરવા બાબતે થયેલ બોલાચાલી બાદ સમાધાન થઇ ગયું હોવા છતાં  જોહુકમી આચરી એક જૂથ ડેલો તોડી ઘરમાં ઘુસી ગયું હતું.મણિનગર વિસ્તારમાં રહેતી નમીરાબેન શબ્બીરભાઈ જાદવ  એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું  કે,તેના જેઠ શિરાજભાઈને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં અરમાનભાઈ બેલીમ સાથે ટ્રક ખાલી કરવા બાબતે બોલાચાલી થઇ હતી અને એ પછી  સમાધાન થઇ ગયું હતું .તે વાતનું મનદુઃખ રાખીને રુસ્તમભાઇ બાબુભાઇ કાજી હાથમાં લોખંડની પાઇપ તેમજ શાહરૃખભાઈ પઠાણ હાથમાં છરી તેમજ અરમાનભાઈ હાથમાં ટોમી ે,શબ્બીરભાઈ બેલીમ હાથમાં લોખંડની પાઇપ તેમજ આસિફભાઇ ચૌહાણ હાથમાં લાકડાનો ધોકો  તેમજ અન્ય લોકો હાથમાં લોખંડની પાઇપ તેમજ ધોકાઓ લઈને આવી મહિલાના ઘરના લોખંડનો ડેલો તોડી ફળિયામાં ઘૂસી ગયા હતા. આ શખ્સોએ ઘરમાં આતંક મચાવી  તોડફોડ કરી રૃ.૨૦ હજારનું નુકસાન કર્યું હતું.આ બનાવમાં  શબીરભાઈને તથા સિરાજભાઈને માર પડયો હતા .વચ્ચે પડેલ મહિલાઓ નરીમાબેન  અને કૌશરબેન તેને  બચાવવા જતા તેને પણ પેટમાં પાટા મારવામાં આવ્યા હતા.ધક્કો મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવને લઈને સાવરકુંડલા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરુ કરી હતી.

संबंधित पोस्ट

અમરેલીમાં ખનીજ ચોરી અને ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી : કલેક્ટરે ટ્રક,ડમ્પર,ટ્રેક્ટર સહીત 40 વાહનો જપ્ત, કરોડોનો મુદ્દામાલ કબજે કર્યા

Gujarat Desk

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જૂનાગઢ જિલ્લાના બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે વિવિધ સેવાકીય પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું

Gujarat Desk

પોસ્ટ વિભાગ દ્વારા ‘નારી શક્તિ સપ્તાહ’ (3-8 માર્ચ)નું આયોજન, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કર્યો શુભારંભ

Gujarat Desk

दुनियाभर के पर्यटन उद्योग पर महामारी का बुरा प्रभाव, जानें- किस देश में क्या है असर

Admin

ભરૂચ:નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઈન્ટ, એક સાથે બે મૃતદેહ મળતા ખળભળાટ

Karnavati 24 News

 લખનઉંમાં કાકોરી બલિદાન દિવસ પર 19 ડિસેમ્બરે ડ્રોન શો, 75 મીટર કેનવાસ પર ચિત્રકાર શૌર્યગાથા કંડારશે

Karnavati 24 News
Translate »