(જી.એન.એસ) તા.૯
સુરત,
સુરત શહેરના પ્રાણી સંગ્રહાલયમાં H5N1 બર્ડ ફ્લૂ વાયરસે કહેર મચાવ્યો છે. રાજ્યમાં HMPV વાયરસના કહેર વચ્ચે હવે ગુજરાતના સુરત શહેરના પ્રાણી સંગ્રહાલયમાં H5N1 બર્ડ ફ્લૂ વાયરસે પણ કહેર મચાવ્યો છે. અહીંના પ્રાણીઓમાં H5N1 વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, અને ઘણા પ્રાણી બીમાર પડી રહ્યા છે. આ નવી તબીબી પરિસ્થિતિથી ચિંતાનું વાતાવરણ મચી ગયું છે. H5N1 એ એવિયન ઈન્ફલ્યુએન્ઝા A નો પેટા પ્રકારે ઓળખાતો છે, જે મુખ્યત્વે પક્ષીઓમાં ફેલાય છે. આ વાયરસ માનવ અને પ્રાણીઓ માટે અત્યંત ખતરનાક થઈ શકે છે, અને એવિયનમાં મરઘાં, અન્ય પક્ષીઓ, અને ક્યારેક સસ્તન પ્રાણીઓ પર તેનો પ્રભાવ જોવા મળતો હોય છે. જાણવામાં આવ્યું છે કે નાગપુરના પ્રાણી સંગ્રહાલયમાં પણ H5N1 વાયરસના કારણે 3 વાઘ અને 1 દીપડાનું મોત થયું હતું. આ ઘટનાને પગલે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ દેશના તમામ ઝૂ માટે માર્ગદર્શિકાઓ બહાર પાડી છે, જેમાં વપરાતી વસ્તુઓ માટે એલર્ટ અને સંભાળના નવા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતમાં HMPV વાયરસના કહેર વચ્ચે H5N1 વાયરસના ફેલાવાને લઈને તબક્કાવાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત સહિત વિવિધ રાજ્યોએ પ્રાણી સંગ્રહાલયોના કર્મચારીઓને સાવધાની અપાવવાની અને સંક્રમણ રોકવા માટે કડક પગલાં ભરવાની સૂચના આપી છે. H5N1 એ એવિયન ઈન્ફલ્યુએન્ઝા એ વિરુદ્ધ એક વાયરસ છે, જે મુખ્યત્વે પક્ષીઓને અસર કરે છે.