ICC ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં યોજાવાનો છે. તે આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાઈ શકે છે. વર્લ્ડ કપને લઈને મોટા સમાચાર આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે. અહેવાલો અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અમદાવાદના સ્થળને નક્કી કરવા જઈ રહ્યું છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ODI મેચ રમાઈ હતી. ત્યારથી બંને ટીમો ODI ફોર્મેટમાં આમને સામને થઈ શકી નથી.
વિશ્વભરના ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની રાહ જોઈ રહ્યા છે. હવે આ બંને ટીમો વર્લ્ડ કપમાં આમને-સામને થશે. ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ પર પ્રકાશિત એક સમાચાર અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર સ્ટેડિયમમાં રમાઈ શકે છે. આ સ્ટેડિયમમાં 1 લાખ દર્શકો બેસી શકે છે. બીસીસીઆઈ આ અંગે ભારતીય ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરશે.
અહેવાલો અનુસાર, ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે અને ટૂર્નામેન્ટની અંતિમ મેચ નવેમ્બરમાં રમાશે. આ માટે અનેક સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. નાગપુર, બેંગલુરુ, ત્રિવેન્દ્રમ, મુંબઈ, દિલ્હી, લખનૌ, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, રાજકોટ, ઈન્દોર, બેંગ્લોર અને ધર્મશાલાને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. સુરક્ષાના કારણોસર પાકિસ્તાનની તમામ મેચ ચેન્નાઈ, બેંગ્લોર અને કોલકાતામાં રમાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ODI મેચ રમાઈ હતી. ભારતે ડકવર્થ લુઈસના નિયમ અનુસાર આ મેચ 89 રને જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 336 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાન સામે 40 ઓવરમાં માત્ર 212 રન જ થયા હતા. વરસાદના કારણે તેમને 302 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ભારત તરફથી રોહિત શર્માએ 140 રનની યાદગાર ઇનિંગ રમી હતી.