સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી મેચમાં KKRનો 5 રનથી વિજય થયો હતો. KKRની આ જીતમાં ટીમના સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તીએ છેલ્લી ઓવરમાં 9 રનનો બચાવ કરીને મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં વરુણ ચક્રવર્તીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેણે પોતાની 4 ઓવરમાં માત્ર 20 રન આપીને 1 વિકેટ લીધી હતી. મેચ બાદ તેણે જણાવ્યું કે છેલ્લી ઓવરમાં હૃદયના ધબકારા 200ની નજીક હતા.
મેચ બાદ વાત કરતા વરુણ ચક્રવર્તીએ કહ્યું, “છેલ્લી ઓવરમાં મારા હૃદયની ધડકન 200ને સ્પર્શી રહી હતી, પરંતુ હું ઇચ્છતો હતો કે તે ગ્રાઉન્ડની લાંબી બાજુએ ફટકારે. બોલ ઘણો લપસી રહ્યો હતો અને મારા માટે સારી બાબત એ લાંબો વિસ્તાર હતો અને તે જ મારી એકમાત્ર આશા હતી. મારી પહેલી ઓવર 12 રનની હતી, માર્કરામે મને બે ચોગ્ગા ફટકાર્યા હતાં.
વરુણ ચક્રવર્તીએ આગળ જણાવ્યું કે તેણે કેવી રીતે પોતાના પર કામ કર્યું અને આ બધી વસ્તુઓ તેના માટે કેવી રીતે કામમાં આવી. તેણે કહ્યું, “ગયા વર્ષે હું 85 kmphની ઝડપે બોલિંગ કરી રહ્યો હતો, હું ઘણી વસ્તુઓ અજમાવી રહ્યો હતો અને મને સમજાયું કે મારે મારી મજબુતાઈ પર કામ કરવાની જરૂર છે અને મેં તેના પર કામ કર્યું.”
વરુણ ચક્રવર્તી ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો
આ મેચમાં વરુણ ચક્રવર્તીને તેના શાનદાર પ્રદર્શન માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. છેલ્લી ઓવરમાં વિરોધી ટીમ એટલે કે સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 9 રનની જરૂર હતી. સ્પિનરે પોતાની ટીમને 5 રને જીત અપાવવા માટે માત્ર 3 રન આપ્યા હતા. હૈદરાબાદને છેલ્લા બોલ પર 6 રનની જરૂર હતી. વરુણે 107 કિમી પ્રતિ કલાકની ઝડપે ક્રિઝ પર ભુવનેશ્વર કુમારને બોલ ફેંક્યો કુમારને બોલ ફેંક્યો..