Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

ગટર સફાઈ માટે મશીન ન હોય તો જ્યાં છે ત્યાંથી જેટિંગ ઉપલબ્ધ કરાવાશે : મંત્રી ૩૩માંથી ૨૦ જિલ્લામાં જેટિંગ, દરેક જિલ્લામાં એક મશીન કાર્યરત કરાવવા નિર્ણય

ગટર સફાઈ માટે મશીન ન હોય તો જ્યાં છે ત્યાંથી જેટિંગ ઉપલબ્ધ કરાવાશે : મંત્રી ૩૩માંથી ૨૦ જિલ્લામાં જેટિંગ, દરેક જિલ્લામાં એક મશીન કાર્યરત કરાવવા નિર્ણય ભરૂચના દહેજમાં ગટર સફાઈ દરમિયાન ત્રણ કામદારોના મૃત્યુની ઘટના બાદ ગુજરાત સરકારે દરેક જિલ્લામાં ઓછામાં ઓછુ એક જેટિંગ મશીન કાર્યરત કરાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષપદે બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં જે પાલિકા કે પંચાયત પાસે ગટર સફાઈ માટે જેટિંગ મશીન ન હોય તેવી સંસ્થાને જે સંસ્થા પાસેથી અથવા તો ઉપલબ્ધ હોય તેવા જિલ્લામાંથી આવુ મશીન મેળવીને સફાઈ કરાવવા આદેશ થયો છે. તેમ જણાવાતા પ્રવક્તા મંત્રી રૂષિકેશ પટેલે હાલમાં ૩૩ પૈકી ૨૦ જિલ્લામાં જેટિંગ મશીન છે, તેના વ્યવસ્થાપન માટે આવી સુચના આપ્યાનું જાહેર કર્યુ હતુ. દહેજ પંચાયતમાં સફાઈ માટે મંગળવારે ગટરમાં ઉતારવામાં આવેલા ત્રણ શ્રમિકોના ગુંગમણને કારણે મોત નિપજ્યા હતા. આ પહેલા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશમાં પણ ગટર સફાઈ કરવા ભૂગર્ભમાં ઉતારવામાં આવેલા બે કામદારોના મોત નિપજ્યા હતા. સલામતીના સાધનો વગર ગટરમાં માણસો મારફતે સફાઈ કરાવવી એ પ્રતિબંધિત છે. ભારતમાં ગટરમાં સફાઈ વેળાએ મૃત્યુની ઘટનાઓ સૌથી વધુ ગુજરાતમાં નોંધાઈ રહી છે. આ તબક્કે રાજ્ય સરકારે ત્રણેક વર્ષ અગાઉથી જ મ્યુનિસિપલ કોર્પોરેશન, નગર પાલિકાઓ અને પંચાયત સ્તરે જિલ્લાથી લઈને છેક તાલુકા સ્તર સુધી કરોડોના ખર્ચે જેટિંગ મશીનો ફાળવ્યા છે. અમદાવાદ જેવા શહેરમાં ગટરની સફાઈ માટે રોબેટિક મશીન પણ વસાવવામાં આવ્યુ છે. રાજ્યમાં ગટર સફાઈ દરમિયાન સફાઈ કામદારોના મૃત્યુનું પ્રમાણ વધી રહ્યુ છે. કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી રૂષિકેશ પટેલે મિડિયા સમક્ષ કહ્યુ કે, ૧૩ જેટલા જિલ્લામાં ગટર સફાઈ માટે જેટિંગ મશીન નથી. સરકારે નિર્ણય કર્યો છે કે દરેક જિલ્લામાં એક જૈટિંગ મશીન કાર્યરત કરવામાં આવે. તેના માટે શહેરી વિકાસ, પંચાયત વિભાગને સુચના અપાઈ છે. જે તાલુકા પંચાયત કે ગામ પંચાયત પાસે મશીન ન હોય તેમને નજીકની નગરપાલિકા કે જિલ્લામાંથી નિયત દરે મશીન ઉપલબ્ધ કરાવાશે.

संबंधित पोस्ट

अल्बनीस ने भारत में ऑस्ट्रेलियाई प्रतिनिधिमंडल का स्वागत करने के लिए प्रधान मंत्री मोदी को दिया धन्यवाद

Karnavati 24 News

RJD सांसद जाना चाहते थे पाकिस्तान केंद्र सरकार ने मंजूरी देने से किया इंकार

‘રાહુલ ગાંધી ઇચ્છે છે કે ચીનની સામે આત્મસમર્પણ કરી દે ભારત’

Admin

चुनाव में बुरी तरह हारी कांग्रेस पार्टी में फिर जान फूंकने की कोशिश कर रहीं प्रियंका गांधी!

Karnavati 24 News

फिल्मों के जरिए देश का असली इतिहास बता रहे बीजेपी सांसद रवि कृष्णन ने कहा

Karnavati 24 News

UP Election 2022: आज मैनपुरी में रहेंगे मुख्यमंत्री योगी, जनसभा को करेंगे संबोधित

Karnavati 24 News
Translate »